અનાસક્તિ April 20, 2009
Posted by devikadhruva in : સ્વરચના , trackbackરાત પડે ઓશીકે આંખો મીંચીને પછી,
વ્હેતા આંસુને લઇ વાળી;
વાદળથી ઢંકાતા સૂરજના શમણામાં,
અંધારી રાત સૂની ગાળી…
જઇજઇને આવતો રોજ રોજ પાછો,
ઉષાનો પાલવ નીખારી;
તપી તપી મધ્યાન્હે થાકતો ને હાંફતો,
આલમને રાખે અજવાળી…..
રંગબેરંગના ચિત્રો દોરીને પછી,
સંધ્યાને ઘેનમાં ઝુલાવી;
ગમની ક્ષિતિજમાં સરકી પડીને,
નભ-સંસારે રમતો વૈરાગી;
લઇ પુનર્જનમ જાણે કહેતો સવારે,
એક અનાસક્તિની વાત પાકી….
******************************************************************
દૂન્યવી ગમમાં ડૂબેલો એક માનવી સૂતા સૂતા સૂરજના શમણામાં ઢળી પડે છે.નભસંસારમાં વૈરાગી બની રમમાણ કરતા રવિરાજ પાસેથી અચાનક આસક્તિ,મોહ,રાગ ન રાખવાનો પાઠ શીખે છે, એ જ એનો ઉકેલ પણ બને છે અને એના ગમની રાત પૂરી થાય છે.
********************************************************************
Comments»
આ અને બીજા કાવ્યો ગમ્યા.
લખાયા કરે એવી શુભેચ્છા.
સરયૂ