jump to navigation

અનાસક્તિ April 20, 2009

Posted by devikadhruva in : સ્વરચના , trackback

રાત પડે ઓશીકે આંખો મીંચીને પછી,

             વ્હેતા આંસુને લઇ વાળી;

વાદળથી ઢંકાતા સૂરજના શમણામાં,

             અંધારી રાત સૂની ગાળી…

જઇજઇને આવતો રોજ રોજ પાછો,

             ઉષાનો પાલવ નીખારી;

તપી તપી મધ્યાન્હે થાકતો ને હાંફતો,

             આલમને રાખે અજવાળી…..

રંગબેરંગના ચિત્રો દોરીને પછી,

             સંધ્યાને ઘેનમાં ઝુલાવી;

ગમની ક્ષિતિજમાં સરકી પડીને,

             નભ-સંસારે રમતો વૈરાગી;

લઇ પુનર્જનમ જાણે કહેતો સવારે,

             એક અનાસક્તિની વાત પાકી….

******************************************************************

 દૂન્યવી ગમમાં ડૂબેલો એક માનવી સૂતા સૂતા સૂરજના શમણામાં ઢળી પડે છે.નભસંસારમાં વૈરાગી બની રમમાણ કરતા રવિરાજ પાસેથી અચાનક આસક્તિ,મોહ,રાગ ન રાખવાનો પાઠ શીખે છે, એ જ એનો ઉકેલ પણ બને છે અને એના ગમની રાત પૂરી થાય છે.

********************************************************************

Comments»

1. saryu - July 2, 2009

આ અને બીજા કાવ્યો ગમ્યા.
લખાયા કરે એવી શુભેચ્છા.
સરયૂ


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.