સાંજનો સમય છે. શ્રી વિનોદ ભટ્ટ ‘ધર્મયુગ કોલોની’માં આવેલા પોતાના નિવાસસ્થાને બેઠા છે. ઢળતી સાંજના આછા અંધારામાં ઓરડામાં કંઈક હલચલ થતી જણાય છે, કોઈ આકૃતિ આવતી દેખાય છે. અને…વિનોદ ભટ્ટ પૂછે છેઃ
વિનોદ ભટ્ટ -ઓહોહો… પણ તમે ક્યાંથી? હું તો યમરાજની રાહ જોતો હતો!!
યમીઃ. તમે લોકોને બહુ એન્ટરટેઈન કર્યા એટલે તમારા માટે યમે મને મોકલી!
વિનોદ ભટ્ટ -લો કહો ત્યારે… આપણે તો અહીંથી જ સ્વર્ગલોક શરુ. કર્મના ફળની વાત સાચી હોં.
યમી- આ ઘોર કલિયુગમાં તમે ‘ધર્મયુગ‘ કોલોનીમાંરહોછો? કમાલ છો !
વિનોદ ભટ્ટ– કેમ એમાં શુ? હસે અને બીજાને હસાવે તે ઘર વસાવે. એનું નામ ‘ધર્મયુગ’.. અરે, તમને પણ હસાવીને પેટ
દુઃખાડી દઉ. કરવો છે અખતરો?
યમીઃ હા, હા, ચાલો મારી સાથે..તૈયાર છો ને?
વિનોદ ભટ્ટ– યમી….એક મિનિટ હોં.. ઊભા રહો. આ ઘરઅનેબીજાંબંગલાવાસીઓનેછેલ્લીએકવારજોઈલઉં?
યમીઃ રહેવું છે હજી થોડાં વર્ષ ? લાગવગલગાડું? વોટ્સેપપરમેસેજમોકલીદઉં?
વિનોદ ભટ્ટ -ના, રે ના, હવે બહું થયું, કૈલાસ ગઈ, હમણાં નલિની ગઈ, તેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે. અને યમી..તમને જાણીજોઈને બેન નથી કહેતો. નહિ તો પાછા આપણને એન્ટરટેઈન કરવાની અગવડ પડી જાય! હં… તો હું એમ કહેતો હતો કે…અરે..( માથું ખંજવાળતાં) શું કહેતો હતો…આ તમને જોઈને ભૂલી ગયો બધું.
યમીઃતમેએમકહેતાહતાકે, જ્યોતિન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી, તારક મહેતાનેય મળવું છે …
વિનોદ ભટ્ટ -હા તે બધાનેય મળવું છે અને અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. ચાલો, તમતમારે… આપણે રેડી છીએ.”
યમીઃ ઊભા રહો, જરા ગાંઠિયા ખાઈ લઉં.
વિનોદ ભટ્ટ- હા, એ પહેલું હો.. ગાંઠિયા અને ચહા વિના વાહન ના ચલાવી શકાય, તો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે.
યમીઃ (હસીને) પાડો નથી,પાડી છે.. તમારે માટે બધી જ સ્ત્રીઓ!
વિનોદ ભટ્ટ —આ તમારી પાડીને તો ગાંઠિયા નથી ખવડાવતા ને ! “
યમી હસી પડી., ના, ના, પાડી તો લીલા ઘાસ વિના બીજું કશું ખાતી નથી.
વિનોદ ભટ્ટ-, અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દો, બધુ ખાતી થઈ જશે.
વિનોદ ભટ્ટ –” અહીં પણ લોકશાહી છે? અહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “
ચિત્રા–અરે, આખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ ૬૭૫૮૩છે.”
“વિનોદ ભટ્ટ—( હસીને કહે છે)હવે ૬૭૫૮૨થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”
ચિત્રાએ ચોપડો ફંફોસવા માંડ્યો.
ચિત્રા–” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”
વિનોદ ભટ્ટ–..કેમ “વધારે લખાઇ ગયું છે? ઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”
ચિત્રા—( થોડી) અકડાઈ, વિનોદભાઇ, જે ઓછું કે વધુ નહીં, પણ સાંભળો.. ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વે, તમે તો લોકોને બહુ હસાવ્યા છે.”
“વિનોદ ભટ્ટ-_( ચિત્રાના ખભા પર હાથ મૂકીને)જો દોસ્ત, લખવાનું કામ આપણું, હસવાનું કામ વાચકોનું.”
ચિત્રા— (ગળગળી થઇ) સાહેબ, મેં પણ તમને બહુ વાંચ્યા છે, હોં..
વિનોદ ભટ્ટ –(આંખ મીંચકારી) તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો.
ચિત્રા–સાહેબ, તમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે.
વિનોદ ભટ્ટ–અચ્છા તો તમે ગુણવંત શાહને પણ વાંચ્યા એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરશો.. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો સંપાદકને તકલીફ પડે.
ચિત્રા—સાહેબ, આ બધુ તમારે ઉપર, યમરાજાને કહેવું પડે. હું તો હિસાબની વ્યક્તિ અને તે પણ તમારા જેવા ખાસ
માણસોને માટે જ.. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો.
ચિત્રા— (પોતાના નાક પર આંગળી મૂકીને કહે છે) હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.
(ચિત્રાને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે)
વિનોદ ભટ્ટ —-તમે યાર, હજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.
ચિત્રા–(ચશ્માં સરખાં કરતાં)–એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છે, પણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશે, આપણે ખોટી મહેનત કરવી.”
વિનોદ ભટ્ટ (હસતાં હસતાં)–“એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…
ચિત્રા (હસતાં હસતાં),” બોલો, નર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”
વિનોદ ભટ્ટ–વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી ?
ચિત્રા–“ના, અહીં સાહિત્ય એકેડેમી કે સાહિત્ય પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”.
વિનોદ ભટ્ટ ––તો યાર, ત્યાં લઈ લો. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તો‘દિવ્યભાસ્કર‘માંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”
(બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રા પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,)”
ચિત્રા– આમારોપણવોટ્સેપઆવ્યો, લો. (વાંચતાવાંચતા) તમને જ્યોતિન્દ્ર દવે,તારક મહેતા,બકુલ ત્રીપાઠી યાદ કરે છે, જાઓ, સ્વર્ગલોકમાં સિધાવો.”
દૃશ્ય-૩
સૂત્રધાર–(ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છે, લતાઓ, વનલતાઓ, અનેક પ્રકારના છોડ, વિવિધ પ્રકારનાં પુષ્પોઅનેલીલાંછમ પાનથી શોભતાં વૃક્ષોથી વાતાવરણ છલકાઈ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છે, તેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છે, તારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે. જ્યોતિન્દ્ર દવે વિનોદભાઈને ભાવથી આવકારે છે.)
વિનોદ ભટ્ટ —બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. ” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? (વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”)
જ્યોતિન્દ્રદવે —નારેના“નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” અમે યુનિયન નથી કર્યું હો ભઈલા…..
બકુલ ત્રિપાઠી—(વિનોદભાઇના દેહ પર નજર કરતાં) “વિનોદ, તમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ”
વિનોદ ભટ્ટ –-“બકુલભાઈ, સૂકાઈ ગયો એટલે તો અહીં આવ્યો, નહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત ? પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”.
બકુલભાઈ—( હસતાં હસતાં જવાબ ) તમે અહીં આવવાના હતા એટલે…બાકી આમ તો થોડી વધી હતી!
તારક મહેતા—( વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી)—વિનોદભાઈ,સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”
વિનોદ ભટ્ટ —.”તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે ? અહીં પરમેનેન્ટ મજા નથી હોતી ?”
જ્યોતિન્દ્રભાઇ –“પહેલા એવું હતું, પણ હવે વોટસેપ અને ફેઈસબૂકને કારણે સ્થિતિ બદલાઇ ગઈ છે.
તારક મહેતા – સારુ, સારુ.. એ વાત જવા દો. હવે એમ કહો કે રતિલાલ બોરીસાગર ત્યાં કેમ છે?
વિનોદ ભટ્ટ–.—“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. બાબા રામદેવનું શીખવાડેલું શવાસન અને કપાલભાતિ દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં ૩૦-૩૫વરસ અહીં આવે તેમ લાગતું નથી!”
જ્યોતિન્દ્ર –એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ.( થોડી વાર વિચારી) જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખ, અશોક દવે, શાહબુદીન રાઠોડ, જગદીશ ત્રિવેદી, હરનીશ જાની આ બધા લખી રહ્યા છે. વિનોદ્ભાઈ,તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું ૭૮એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા ૮૭માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી ૭૭મેં આવ્યા. મધુસુદન પારેખ ૮૫વર્ષે હજી જામેલા છે, આમ તો રતિલાલ બોરીસાગરને ૮૦થઇ ગયાં છે, પણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.
બકુલભાઈ–” ના, ના, બધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાય, થોડાને ત્યાં પણ રહેવા દો”
ચિત્રા–, વિનોદ ભટ્ટ સાહેબ… કૈલાસબહેન અને નલિનીબહેન પણ અહીંયા જ છે.
વિનોદ ભટ્— ઓહોહો…ઓહોહો…લાગવગ લગાવો ત્યારે. મને ત્યાં જ લઈ જાવ ને ભાઈ.
ચિત્રા—ચાલો,ચાલો લઈ જાઉં. એ લોકો પણ તમને યાદ કરી રહ્યાં છે.
વિનોદ ભટ્ટ (ઊભા થાય છે, ઉતાવળે પગલે જતાં જતાં બોલે છે)_હાશ.. ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.
પરમ શાંતિ…
સ્ટેજ પર અંધકાર છવાય છે અને પડદો પડે છે.
સૂત્રધાર—અને… વિનોદ ભટ્ટ આ રીતે શાંતિથી સ્વર્ગલોકની મઝા માણે છે…
The family is a delicate web of relationships. It is our own private world with its joys and sorrows, hopes and fears. It is the whole world in microcosm. This book provides the words for moments of memory and an art of hearts. It explores the relationships with parents and grand-parents. These glimpses will give new insights of legacy into our families for each new and future generations.
This English Book has few Gujarati scanned pages also.
ગુ.સા.સ.ની નવી સમિતિ- ઉપપ્રમુખ પ્રવિણાબેનકડકિયા,સલાહકાર શ્રી અશોક પટેલ અને પ્રમુખ ડોક્ટરઇન્દુબેનશાહ. ખજાનચી શ્રી સતીશ પરીખ (હાજર નથી)
ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ.
૨૦મી ડીસેમ્બર અને રવિવારની શીતલ સાંજે ૪ થી ૮ દરમ્યાન, હ્યુસ્ટનના શાકાહારી ભોજનગૃહના હોલમાં૨૦૧૫ ના સફળ વર્ષની, છેલ્લી બેઠક યોજાઈ ગઈ.
બરાબર ૪ના ટકોરે શ્રીમતિ ગીતાબેન પંડ્યાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી શુભ શરુઆત થઈ. સંસ્થાના વડીલ હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે શેર, મુક્તક અને ગઝલથી બેઠકની શરૂઆત કરીને મહેફિલમાં રંગ જમાવી દીધો. ડોક્ટર રમેશ શાહે, કવિશ્રી. મકરંદ દવેની એક કૃતિ રજૂ કરી અને સાથે સાથે એનું રસદર્શન પણ ભાવ સહિત વાંચી સંભળાવ્યુ. નિતીન વ્યાસ નામના એક બહુશ્રુત વિદ્વાને, ગુજરાતના જાણીતા લેખક અને કવિ શ્રી. ધ્રુવ ભટ્ટના પુસ્તકનો પરિચય કરાવ્યો અને ભાવનગરના ટર્મિનસ પરની બોગી નંબર ૨૬૯૨ અને ચાહની લારીના દ્રશ્યો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરાવ્યા.
શૈલાબેન મુન્શાએ કામો અંગે વર્ષાન્તે થતી અનુભૂતિ વિષયક એક હળવું મસ્તીભર્યું અછાંદસ કાવ્ય રજૂ કર્યું. દેવિકાબેન ધ્રુવ આમ તો કવયિત્રી છે અને સામાન્યપણે પોતાની સ્વરચિત કવિતા કે ગઝલની જ રજૂઆત કરતા હોય છે પણ આજે તેમણે ‘સાહિત્ય એટલે શું ?’ એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યું. ડોક્ટર ઇન્દુબેન શાહે વીતેલા દાયકાઓની વાતો કરી. પ્રશાંત મુન્શાએ પણ કેટલાંક સુંદર મુકતકો સંભળાવ્યા. ૯૫ વર્ષની વયના ધીરુભાઇ શાહે, જીવનના નિચોડ સમ,સારા જીવન માટેની અર્થસભર કણિકાઓ પ્રસ્તૂત કરી. અશોક પટેલે શ્રી. મનુ નાયકનું એક કાવ્ય રજૂ કર્યું. ત્યાર પછી નાસા, જોહન્સન સ્પેઈસ સેન્ટર, હ્યુસ્ટનના વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ શ્રી. નટવર ગાંધીની છંદોબધ્ધ કૃતિ સંભળાવી.
પ્રકાશ મજમુદારે, સ્વ.મરીઝની ગઝલ રજૂ કરીને વાતાવરણને સંગીતની હવાથી તરબતર કરી મૂક્યું. શ્રી. વિજય શાહે, સાહિત્ય સરિતાના કલ્ચર અંગે અને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કર્યા. શ્રી અક્બર લાખાણી અને અક્બર અલી હબીબે પોતાની કૃતિઓ અને રમૂજની લ્હાણ કરી હતી.શ્રી. નવીન બેન્કરે, ફ્યુનરલ ટાણે, વક્તાઓ મૃતકને અંજલિ આપતી વખતે કેવા કેવા છબરડાઓ કરતા હોય છે અને અંત્યેષ્ટી કરાવનાર બ્રાહ્મણ કેવા પ્રવચનો ડાઘુઓને માથે મારતા હોય છે એની રમુજી વાતો કરીને સભ્યોને હસાવ્યા. પ્રવીણાબેન કડકિયાએ પણ તેમાં થોડો સૂર પૂરાવ્યો હતો.
બેઠકના ઉત્તરાર્ધમાં, ‘જનરલ બોડી મીટીંગ’ ની શરૂઆત થઈ. સંસ્થાના પ્રમુખ શ્રી. ધવલ મહેતા અને ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ એમની આગેવાની હેઠળ છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાએ જે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો ચિતાર આપ્યો..સંસ્થાના ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદે, સંસ્થાના આર્થિક પાસાં અને ભંડોળને લગતી માહિતીસભર વિગતો આપી. સભ્યોની પ્રશ્નોત્તરી, ચર્ચા, મસલત પછી કેટલાંક જરૂરી મુદ્દાઓનો પણ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૬થી શરૂ થતા વર્ષના નવા ‘બોર્ડ મેમ્બર્સ’ તરીકે નીચેના સભ્યોની વરણી થઈ-
પ્રમુખઃ ડોક્ટર શ્રીમતિ ઇન્દુબેન શાહ
ઉપપ્રમુખઃ શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા
ખજાનચીઃ શ્રી. સતિશ પરીખ-
સલાહકારઃ શ્રી. અશોક પટેલ નવી નિમાયેલી સમિતિના સભ્યો અને હાજર રહેલા સભ્યોએ, જુના બોર્ડ મેમ્બર્સની સફળ કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને સમુહ ફોટોગ્રાફ્સ લઈને સૌ, ભોજન રેસ્ટોરન્ટના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણીને છૂટા પડ્યા હતા.
છેલ્લાં પંદર વર્ષથી અવિરતપણે ચાલી રહેલી ગુજરાતી સાહિત્ય સરિતાની આ ગુજરાતી ભાષા અંગેની સજાગતાને અને સૌ સભ્યોને સો સો સલામ.
વિચારકોએ ઇશ્કના બે પ્રકાર બતાવ્યા છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજી. ઇશ્વર પ્રત્યેનો પ્રેમ તે ઈશ્કે હકીકી અને માનવીય પ્રેમ તે ઈશ્કે મિજાજી.કવિ કલાપી મૂળે તો ઈશ્કે મિજાજીના કવિ હતાં. પરંતુ તેમની ઘણી રચનાઓ ઇશ્કે મિજાજીમાંથી ઈશ્કે હકીકી તરફ લઈ જતી હતી..
આજે એક ઈશ્કે હકીકી પ્રસ્તૂત છે. ( સ્વરચના )
કહું છું આજ મનની વાત, ક્યારે તમને જોયા છે. ફરે છે રંગ કુદરતના, મેં ત્યારે તમને જોયા છે.
આમ તો હું રમત-ગમતની દૂનિયાનો જીવ નથી. પણ પુત્ર-પૌત્ર-પૌત્રીઓને આ ગોલ્ફની રમત રમતા જોવાની મઝા આવે છે. જોતા જોતા રસ પડવા માંડ્યો અને ઘણું જાણવાનું પણ મળ્યું. ( પ્રેમનો પ્રભાવ માનવીને ક્યાં ક્યાં લઈ જાય છે?) સાથે સાથે અંદરની પેલી કવિ-દ્રષ્ટિ પણ સળવળીને કંઈક ને કંઈક કહેતી અનુભવાઈ. ખરેખર તો દરેક રમત જીંદગી જેવી જ છે અને જીંદગી પણ એક અટપટી રમત જેવી જ છે ને? પણ છતાં આ રમતમાં કંઈક વિશેષ લાગ્યું. કારણ કે ગોલ્ફની રમતમાં ટીમથી વધારે તો વ્યક્તિગત માનસિક સંઘર્ષ અને સમતુલન છે એમ જણાયું.
૫ થી ૬ હજાર યાર્ડમાં પથરાયેલાં મેદાનમાં નિશ્ચિત્ત અંતર પર ૧૮ વર્તુળાકારના નાના ખાડા હોય જેને અંગ્રેજીમાં hole કહેવામાં આવે છે. દરેક holeના અંતર જુદા જુદા હોય અને કેટલાં ફટકામાં બોલ ‘હોલ’માં ( hole) પડવો જોઈએ તે પણ મુકરર કરવામાં આવ્યું હોય છે. કોઈના ૩, ૪, કે ૫ એમ જુદા જુદા ફટકા આપવામાં આવ્યા હોય છે. જો તમે આપેલ નંબરમાં સફળ થાવ તો ‘પાર’ (par) કહેવાય. ઓછામાં સફળ થાવ તો ‘બર્ડી ‘(birdie) કે ‘ઈગલ’ (eagle) થઈ કહેવાય અને વધુ ફટકા મારવા પડે તો ‘બોગી’(bogey) કહેવાય. દરેક અંતર પ્રમાણે ગોલ્ફર, બોલને મારવાની ક્લબ એટલે કે લાકડી પસંદ કરે.દરેક ક્લબના પણ જુદા જુદા નામ હોય જેવાં કે, લાંબા અંતર માટે ડ્રાઇવર,આયર્ન, ટૂંકા અંતર માટે પટર વગેરે, વગેરે… ઘણીવાર બોલ,રેતીવાળા, ઘાસ વગરના ખરબચડા ખાડામાં પડે, કોઈવાર આજુબાજુના કોઈ ઝાડની આસપાસ પડે, તો વળી કોઈવાર પાણીના ખાબોચિયામાં પણ પડે!. એવી કોઈપણ પરિસ્થિતિમાંથી કુનેહપૂર્વક, કુશળતાથી બોલને બહાર કાઢીને ખરા લક્ષ્ય સુધી લઈ જવો પડે. ક્યારેક હળવું ‘પટીંગ’ કરવું (સરકાવવું) પડે, ક્યારેક ‘ચીપીંગ’ (બંકરમાંથી બહાર કાઢતી વખતે કરાતો સહેજ જોરદાર ફટકો) કરવું પડે. અરે, ખોટી જગાએથી બહાર કાઢવા માટે penalty પણ ભોગવવી પડે! આ રીતે એક પછી એક ૧૮ ‘હોલ’ સુધી, લગભગ ચારથી પાંચ કલાક રમત ચાલે. આટલા લાંબા રસ્તા પર ચાલવાનું તેથી walking exercise થાય, રમતની મઝા આવે, ખેલદિલીનો ગુણ કેળવાય અને રમનારની કાબેલિયત વધતી જાય.
આટલી ભૂમિકા પછી તેને જ આધારે લખેલી એક અછાંદસ રચનાઃ
ગોલ્ફ
જીંદગી છે ગોલ્ફની રમત જેવી.. રમતા આવડે તો ગમ્મત જેવી. હજારો યાર્ડની દૂરી પર એક પછી એક કુશળતાથી તાકવાના અઢાર અઢાર નિશાન ! અભિમન્યુને હતા કોઠા સાત, અર્જુનની સામે એક જ આંખ.. એક જ પક્ષીની.. ગોલ્ફમાં તો અઢાર નિશાન. બોલ કદી વાડમાં અટવાય, કદી ખાડામાં અથડાય, ક્યારેક ઝાડીમાં ફસાય, ક્યારેક પાણીમાં પછડાય. એક પછી એક તાકવાના અઢાર નિશાન. શાંત, સ્થિર મનથી, સિફતપૂર્વક,સરળતાથી, નાનકડા સફેદ ગોળાને સીધા રાહ પર લઈ જઈ ઓછામાં ઓછા ઝટકાથી, છેલ્લાં નિશાનમાં વાળી દેવાનો! ‘પાર’ થાય તો સ્મિત, ‘બોગી’ થાય તો રુદન. ‘બર્ડી કરો’ તો શાન, ‘ઈગલ’ કરો તો અભિમાન. અને એમ, પરિસ્થિતિની પરવા કર્યા વગર, હસતા, રમતા, આનંદપૂર્વક, નાનકડા શ્વેત ગોળાને, છેલ્લાં ગોળાકારમાં ઢાળી દેવાનો.. અંતિમ લક્ષ્ય સુધી… આદિથી અંત સુધી.