jump to navigation

એકાંકી નાટકઃ ‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’ June 27, 2018

Posted by devikadhruva in : Uncategorized , add a comment

સ્થળ– ‘ધર્મયુગ’ કોલોનીનું એક નિવાસસ્થાન.

કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.

 શિર્ષક : ‘વિનોદ ભટ્ટ-સ્વર્ગલોકમાં’

પાત્રો

વિનોદ ભટ્ટ

યમરાજાની પત્ની યમી-

ચિત્રગુપ્તની પત્ની- ચિત્રા-

હાસ્ય લેખકોઃ જ્યોતિન્દ્ર દવે,બકુલ ત્રિપાઠી,તારક મહેતા- 

કથાબીજ– ‘પોઝીટીવ મીડિયા’ ના ચેરમેન શ્રી રમેશ તન્ના.

નાટ્ય રૂપાંતરઃ રાહુલ ધ્રુવ, દેવિકા ધ્રુવ અને  સહાયક બધાં જ પાત્રો

સૂત્રધાર—  દેવિકા ધ્રુવ..

_____________________________________________________________________

 પ્રથમ દૃશ્ય


સાંજનો સમય છે. શ્રી વિનોદ ભટ્ટ ‘ધર્મયુગ કોલોની’માં આવેલા પોતાના નિવાસસ્થાને બેઠા છે. ઢળતી સાંજના આછા અંધારામાં ઓરડામાં કંઈક હલચલ થતી જણાય છે, કોઈ આકૃતિ આવતી દેખાય છે. અને…વિનોદ ભટ્ટ પૂછે છેઃ

****************************************************************************************************

વિનોદ ભટ્ટ–  કોણ? કોણ છે?

યમી– હું યમી..

વિનોદ ભટ્ટ.- યમી?  કોણ યમી??  કાંઈ ઓળખાણ નથી પડતી.

યમીઃ હું યમરાજની પત્ની યમી.

વિનોદ ભટ્ટ -ઓહોહો… પણ તમે ક્યાંથી? હું તો યમરાજની રાહ જોતો હતો!!

યમીઃ. તમે લોકોને બહુ એન્ટરટેઈન કર્યા એટલે તમારા માટે યમે મને મોકલી!

વિનોદ ભટ્ટ -લો કહો ત્યારે… આપણે તો અહીંથી જ સ્વર્ગલોક શરુ. કર્મના ફળની વાત સાચી હોં.

 યમી-  આ ઘોર કલિયુગમાં તમે ધર્મયુગ‘ કોલોનીમાં રહો છો? કમાલ છો !

વિનોદ ભટ્ટ– કેમ એમાં શુ? હસે અને બીજાને હસાવે તે ઘર વસાવે. એનું નામ ‘ધર્મયુગ’.. અરે, તમને પણ હસાવીને પેટ

દુઃખાડી દઉ. કરવો છે અખતરો?

યમીઃ હા, હા, ચાલો મારી સાથે..તૈયાર છો ને?

વિનોદ ભટ્ટ– યમી….એક મિનિટ હોં.. ઊભા રહો. આ ઘર અને  બીજાં બંગલાવાસીઓને છેલ્લી એકવાર જોઈ લઉં?

યમીઃ રહેવું છે હજી થોડાં વર્ષ લાગવગ લગાડુંવોટ્સેપ પર મેસેજ મોકલી દઉં?

વિનોદ ભટ્ટ -નારે નાહવે બહું થયુંકૈલાસ ગઈહમણાં નલિની ગઈતેમને મળવાની ઉતાવળ છે. જ્યોતિન્દ્ર દવેબકુલ ત્રિપાઠીતારક મહેતાનેય મળવું છે. અને યમી..તમને   જાણીજોઈને બેન નથી કહેતો. નહિ તો પાછા આપણને એન્ટરટેઈન કરવાની અગવડ પડી જાય! હં… તો હું એમ કહેતો હતો કે…અરે..( માથું ખંજવાળતાં) શું કહેતો હતો…આ તમને જોઈને ભૂલી ગયો બધું.

 યમીઃ તમે એમ કહેતા હતા કેજ્યોતિન્દ્ર દવેબકુલ ત્રિપાઠીતારક મહેતાનેય મળવું છે 

વિનોદ ભટ્ટ -હા તે બધાનેય મળવું છે અને અહીં આમેય બધુ સેટ થઇ ગયું છે. નવા હાસ્યલેખકો પણ ઉત્તમ લખતા થઈ ગયા છે. તેમના માટે પણ જગ્યા કરવી પડે. ચાલોતમતમારે… આપણે રેડી છીએ.”

યમીઃ  ઊભા રહોજરા ગાંઠિયા ખાઈ લઉં.

વિનોદ ભટ્ટ- હાએ પહેલું હો.. ગાંઠિયા અને ચહા વિના વાહન ના ચલાવી શકાયતો તમારે તો આવડો મોટો પાડો ચલાવવાનો છે.  

યમીઃ (હસીને) પાડો નથી,પાડી છે.. તમારે માટે બધી જ સ્ત્રીઓ!

વિનોદ ભટ્ટ —આ તમારી પાડીને તો ગાંઠિયા નથી ખવડાવતા ને ! “

યમી હસી પડી.નાનાપાડી તો લીલા ઘાસ વિના બીજું કશું ખાતી નથી.

વિનોદ ભટ્ટ-અમારા દેશના રાજકારણમાં દાખલ કરી દોબધુ ખાતી થઈ જશે.

દૃશ્ય  ૨

સૂત્રધાર—(આમ  વિનોદ ભટ્ટ યમીની પાછળ પાડી પર બેસીનેમજાક કરતા કરતા યમલોકમાં પહોંચે છે..)

યમીઃ લો, તમે અમારા લોકમાં આવી પહોંચ્યા હવે. અરે, ચિત્રા,ઓ ચિત્રા …(બૂમ પાડી બોલાવે છે.)

યમી-( વિનોદ ભટ્ટને ચિત્રાને સોંપતાં કહ્યું-) આમનો હિસાબ-કિતાબ કરીને જ્યાં મોકલવાના હોય ત્યાં મોકલી દેજો.

વિનોદ ભટ્ટ-.– આ ચિત્રા વળી કોણ છે?

યમીઃ યમની યમી અને ચિત્રગુપ્તની ચિત્રા !  તમારો બધો હિસાબ જોશે.

(ચિત્રાએ મોટો ચોપડો કાઢ્યો._)
 

ચિત્રા– નામ ?

વિનોદ ભટ્ટ –“વિનોદ”

ચિત્રા–“કેવા ? “

વિનોદ ભટ્ટ –“એવા રે અમે એવા”

ચિત્રા-“એમ નહીં,જ્ઞાતિએ કેવા ?”

વિનોદ ભટ્ટ –” અહીં પણ લોકશાહી છેઅહીં પણ જ્ઞાતિવાદ ચાલે છે? “

ચિત્રા–અરેઆખું નામ તો કહેવું પડે ને ! પૃથ્વીલોકમાં વિનોદ કુલ ૬૭૫૮૩ છે.”

વિનોદ ભટ્ટ—( હસીને કહે છે)  હવે ૬૭૫૮૨ થઈ ગયા. મારું આખું નામ વિનોદ ભટ્ટ.”

ચિત્રાએ ચોપડો ફંફોસવા માંડ્યો.

ચિત્રા–” હિસાબમાં તો કિતાબો જ કિતાબો છે. આટલું બધું લખ્યું છે ?”

વિનોદ ભટ્ટ..કેમ “વધારે લખાઇ ગયું છેઓછું લખે એને જ સ્વર્ગ લોક મળે એવી કોઈ યોજના છે ?”

ચિત્રા—( થોડી) અકડાઈવિનોદભાઇજે ઓછું કે વધુ નહીંપણ સાંભળો.. ઉત્તમ લખે તેને સ્વર્ગ લોક મળે. ફેસબુક પર લખે એના માટે કડક ધોરણો છે. બાય ધ વેતમે તો લોકોને બહુ હસાવ્યા છે.”

વિનોદ ભટ્ટ-_( ચિત્રાના ખભા પર હાથ મૂકીને) જો દોસ્તલખવાનું કામ આપણુંહસવાનું કામ વાચકોનું.”

ચિત્રા— (ગળગળી થઇ) સાહેબમેં પણ તમને બહુ વાંચ્યા છે, હોં.. 

વિનોદ ભટ્ટ –(આંખ મીંચકારી) તો પછી હિસાબકિતાબમાં થોડું ધ્યાન રાખજો. 

ચિત્રા–સાહેબતમારા જેવા હાસ્યવિદ્ સ્વર્ગલોકમાં આવે એ તો તેના ફાયદામાં છે. હાસ્ય વગરનું તો સ્વર્ગ પણ નકામું છે. 

વિનોદ ભટ્ટ –અચ્છા તો તમે ગુણવંત શાહને પણ વાંચ્યા એમ ને.. પણ એમને લાવવાની ઉતાવળ ના કરશો.. દિવ્ય ભાસ્કરમાં એક સાથે બે કોલમો બંધ થાય તો સંપાદકને તકલીફ પડે. 

ચિત્રા—સાહેબઆ બધુ તમારે ઉપરયમરાજાને કહેવું પડે. હું તો હિસાબની વ્યક્તિ અને તે પણ તમારા જેવા ખાસ

માણસોને માટે જ.. પૃથ્વીલોક પર જેવું કરો તેવું અહીં ભરો.

 ચિત્રા— (પોતાના નાક પર આંગળી મૂકીને કહે છે) હવે વિનોદભાઈ થોડી વાર મનમોહનસિંહ થઈ જજો. હું તમારો હિસાબ જોઈને તમને તમારું નવું સરનામું ફાળવી દઉં.

(ચિત્રાને વિનોદભટ્ટનાં હિસાબ કરતાં વાર લાગી એટલે)

વિનોદ ભટ્ટ —- તમે યારહજી આ ચોપડા છોડતા નથી. કોમ્ય્યુટર લાવી દો ને… બધું ઓનલાઇન કરી નાખો.

ચિત્રા–(ચશ્માં સરખાં કરતાં)– એ માટે અનેક મિટિંગો થઇ ગઇ છે. ઠરાવો પાસ થઇ ગયા છેપણ છેવટે એવું નક્કી થયું છે કે મોદી અહીં આવશે ત્યારે એ જ બધું કરશેઆપણે ખોટી મહેનત કરવી.”

વિનોદ ભટ્ટ (હસતાં હસતાં)–એ અહીં આવવાને બદલે તમને ત્યાં ના બોલાવી લે એનું ધ્યાન રાખજો…હવે મારો વિભાગ મને ફાળવી દો…

ચિત્રા (હસતાં હસતાં),” બોલોનર્કમાં જવું છે કે સ્વર્ગમાં ?”

વિનોદ ભટ્ટ –વારાફરતી બન્નેનો અનુભવ કરી શકાય તેવું કોઇ પેકેજ નથી ?

ચિત્રા–“નાઅહીં સાહિત્ય એકેડેમી કે સાહિત્ય પરિષદ જેવું ના હોય. અહીં તો કોઇ એકમાં જ જવું પડે. તમારાં હાસ્યકર્મોને આધારે તમે સ્વર્ગલોકમાં જઇ શકો તેમ છો”.

વિનોદ ભટ્ટ –તો યારત્યાં લઈ લો. મારો કોલમ લખવાનો સમય જતો રહેશે તોદિવ્યભાસ્કરમાંથી સંપાદક ફોન કરી કરીને માથું ખાઇ જશે.”

ચિત્રા–“તમે કહેતા હોય તોતેમને અહીં બોલાવી લઇએ.”

વિનોદ ભટ્ટ ––“નાના. ” જરા ઉભા રહો, આ વોટ્સેપ જોઈ લઉ.

(બન્ને જણ વાતો કરતા હોય છે ત્યારે ચિત્રા પર વોટ્સએપ મેસેજ આવે છે. મેસેજ વાંચીને તે વિનોદભાઇને કહે છે,)”

ચિત્રા–  મારો પણ વોટ્સેપ આવ્યોલો. (વાંચતા વાંચતાતમને જ્યોતિન્દ્ર દવે,તારક મહેતા,બકુલ ત્રીપાઠી યાદ કરે છેજાઓસ્વર્ગલોકમાં સિધાવો.”

દૃશ્ય-૩


 સૂત્રધાર–(ચાર-પાંચ સૂરજ એક સાથે ઉગ્યા હોય એવું અજવાળું છેલતાઓ, વનલતાઓઅનેક પ્રકારના છોડવિવિધ પ્રકારનાં પુષ્પો અને લીલાંછમ પાનથી શોભતાં વૃક્ષોથી વાતાવરણ છલકાઈ રહ્યું છે. સુંદર અપ્સરાઓ ડીજેના તાલે નૃત્ય કરી રહી છે. ના ઓળખી શકાય તેવા એક સુંદર વૃક્ષ નીચે જ્યોતિન્દ્ર દવે આરામ ખુરશી પર સૂતા છેતેમની બાજુમાં બકુલ ત્રિપાઠી અરધા બેઠા અને અરધા સૂતા છેતારક મહેતા પાન ખાતાં ખાતાં ઝાડની ડાળી પર લગાડેલા હીંચકા પર ઝૂલી રહ્યા છે. જ્યોતિન્દ્ર દવે વિનોદભાઈને  ભાવથી આવકારે છે.)

 

જ્યોતિન્દ્ર દવે–“આવોવિનોદ આવો,” (જ્યોતિન્દ્ર દવેએ વિનોદ ભટ્ટને આવકાર્યા.)

વિનોદ ભટ્ટ —બધાંને વંદન. તમને બધાને એકસાથે આ રીતે સ્વર્ગલોકમાં મળીને આનંદ થયો. ” અહીં આવીને તમે યુનિયન કરી નાખ્યું છે? (વિનોદ ભટ્ટે તારક મહેતાની બાજુમાં સ્થાન લેતાં પૂછ્યું.”)

જ્યોતિન્દ્ર દવે —ના રે ના નર્કમાં સ્વર્ગનો અને સ્વર્ગમાં પણ નર્કનો અનુભવ કરી શકાય એટલે સંચાલકોએ હાસ્ય લેખકોને એક સાથે રાખ્યા છે.” અમે યુનિયન નથી કર્યું હો ભઈલા…..

બકુલ ત્રિપાઠી(વિનોદભાઇના દેહ પર નજર કરતાંવિનોદતમે બહું સૂકાઇ ગયા લાગો છો ? ”

વિનોદ ભટ્ટ -“બકુલભાઈસૂકાઈ ગયો એટલે તો અહીં આવ્યોનહીંતર તો પૃથ્વીલોક પર જ ના રહેત પણ તમારી હાઈટ અહીં સ્વર્ગમાં પણ ના વધી હો બકુલભાઈ”.

બકુલભાઈ—( હસતાં હસતાં જવાબ ) તમે અહીં આવવાના હતા એટલે…બાકી આમ તો થોડી વધી હતી!

તારક મહેતા—( વિનોદ ભટ્ટના ખભા પર હાથ મૂકી)—વિનોદભાઈ, સારું થયું તમે અમારી સાથે આવી ગયા. મજા આવશે હવે…!”

વિનોદ ભટ્ટ —.”તે અહીં સ્વર્ગમાં મજા લેવી પડે છે અહીં પરમેનેન્ટ મજા નથી હોતી ?”

જ્યોતિન્દ્રભાઇ –“પહેલા એવું હતુંપણ હવે વોટસેપ અને ફેઈસબૂકને કારણે સ્થિતિ બદલાઇ ગઈ છે. 

તારક મહેતા – સારુ, સારુ.. એ વાત જવા દો. હવે એમ કહો કે રતિલાલ બોરીસાગર ત્યાં કેમ છે?

વિનોદ ભટ્ટ.—“એકદમ મજામાં છે. તેમના નામે સાવરકુંડલામાં હોસ્પિટલ થઇ છે ત્યારથી તેમની તબિયત ફૂલગુલાબી રહે છે. બાબા રામદેવનું શીખવાડેલું શવાસન અને કપાલભાતિ દરરોજ 30 મિનિટ કરીને યમરાજાને દૂર રાખે છે. હમણાં ૩૦-૩૫ વરસ અહીં આવે તેમ લાગતું નથી!”

જ્યોતિન્દ્ર –એકાદો સારો હાસ્યલેખક તો ત્યાં રાખવો જોઈએ.( થોડી વાર વિચારી)
 જોકે બીજા ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. મધુસુદન પારેખઅશોક દવેશાહબુદીન રાઠોડજગદીશ ત્રિવેદીહરનીશ જાની આ બધા લખી રહ્યા છે. વિનોદ્ભાઈ, તમે મારા કરતાં પૃથ્વી પર બે વર્ષ વધારે રહ્યા. હું ૭૮એ અહીં આવ્યો હતો તમે એંશીએ આવ્યા. આ તારક મહેતા ૮૭માં વર્ષે આવ્યા હતા. બકુલ ત્રિપાઠી ૭૭મેં આવ્યા. મધુસુદન પારેખ ૮૫ વર્ષે હજી જામેલા છેઆમ તો રતિલાલ બોરીસાગરને ૮૦ થઇ ગયાં છેપણ એ બન્ને શતાયુ થાય તેવી શક્યતા છે.

બકુલભાઈ–” નાનાબધા હાસ્યલેખકો અહીં ભેગા થાય એ ઉચિત ના કહેવાયથોડાને ત્યાં પણ રહેવા દો”

ચિત્રાવિનોદ ભટ્ટ સાહેબ… કૈલાસબહેન અને નલિનીબહેન પણ અહીંયા જ છે.

વિનોદ ભટ્— ઓહોહો…ઓહોહો…લાગવગ લગાવો ત્યારે. મને ત્યાં જ લઈ જાવ ને ભાઈ.

ચિત્રા—ચાલો,ચાલો લઈ જાઉં. એ લોકો પણ તમને યાદ કરી રહ્યાં છે.

વિનોદ ભટ્ટ  (ઊભા થાય છેઉતાવળે પગલે જતાં જતાં બોલે છે)_ હાશ.. ઘણાં વર્ષે બન્નેને એકસાથે મળીશ.

પરમ શાંતિ… 

સ્ટેજ પર અંધકાર છવાય છે અને પડદો પડે છે. 

 

સૂત્રધાર—અને… વિનોદ ભટ્ટ  આ રીતે શાંતિથી સ્વર્ગલોકની મઝા માણે છે…

———————————————————–
પોઝિટિવ મિડિયા.. રમેશ તન્નાના લેખ પરથી નાટ્યરૂપાંતર.

 

કાવ્યપઠન-વાસંતી વાયરો August 27, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર-સંગીતા ધારિયા

કાવ્ય પઠન-સોનેરી એક સાંજ August 26, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર-દેવિકા ધ્રુવ

મને આવી સવાર ગમે-કાવ્યપઠન-સંગીતા ધારિયા August 25, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , 2 comments

મને આવી સવાર ગમે-કાવ્યપઠન-

રચયિતા-દેવિકા ધ્રુવ
કાવ્યપઠન-સંગીતા ધારિયા

 

શતદલ-દ્રશ્ય અને શ્રાવ્ય August 24, 2017

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર અને  સ્વરાંકન–ભાવનાબેન  દેસાઇ

 

 

પૂરવનો જાદુગર-ગીત-ઑડિયો August 23, 2017

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર અને  સ્વરાંકન–ભાવનાબેન  દેસાઇ

 

વાદળદળની ધારે-કાવ્યપઠન August 21, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ
કાવ્યપઠન-સંગીતા ધારિયા

કાવ્યપઠન-નથી હું મીરાં કે નથી હું રાધા August 14, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

‘આઝાદ રેડિયો’ ડલાસ પરથી પ્રસારિત…

રચયિતા  અને સ્વર-દેવિકા ધ્રુવ

“કલમને કરતાલે”… April 22, 2017

Posted by devikadhruva in : Uncategorized , 2 comments

“ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય” દ્વારા પ્રકાશિત
મારો કાવ્યસંગ્રહ “કલમને કરતાલે”…

published  a book of poems by Gurjar Granthratna Karyalay,Ahmedabad.
Kalamne Karatale…..

 

રસદર્શન -૧ January 12, 2017

Posted by devikadhruva in : રસદર્શન , add a comment

કવિ શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ ફેસબુક ! “નું રસદર્શન.-દેવિકા રાહુલ ધ્રુવ

શ્રી કૃષ્ણ દવેની તાજેતરમાં  રચાયેલ કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ કવિતા તરફ નજર કરીએ. ત્યારબાદ રસદર્શન.

! ! ! ફેસબુક ! ! !

એની લાઈકથી જીવી જવાય છે .
બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે .
એની લાઈકથી જીવી જવાય છે .છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ
રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતા જે શીખી ગ્યા ચેટ
એવાની આંગળીયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ
રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર
સામેથી સરનામું સર્ચ કરી પહોચે છે શામળીયો શેઠ એને ઘેર
લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે
એની લાઈકથી જીવી જવાય છે .કૃષ્ણ દવે . તા-21.11.16

રસદર્શનઃ

મને આ કવિતામાં સાંગોપાંગ એક ઉચ્ચ કક્ષાની મસ્તીનો ને સાચા કાવ્યત્વનો ઘેરો રંગ દેખાયો છે. કવિતાની ધ્રુવ પંક્તિમાં તેઓ કહે છે કે, “એની લાઈકથી જીવી જવાય છે.” અહીં જરા ઊંડા ઉતરીને ગહન રીતે વિચારીશું તો “એની લાઈક” દ્વારા સર્જનહારની કૃપાદ્રષ્ટિનો અણસાર તરત જ આવે છે. પરમની નજર અને રહેમ/પસંદગી આપણા તરફ હશે તો જીવી જવાય છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ આ અર્થ વધુ ને વધુ ઉઘડતો જાય છે. એ કહે છે કે, “મારા જીવનની બુક ભલે કોરીકટ લાગે પણ ફેઈસ મને ‘એનો’ દેખાય છે. એની લાઈકથી જીવી જવાય છે.” જાણે કે મીરાંબાઈ  કહેતા હોય કે, મારે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. બીજું ભલે ને કોઈ ન હોય ને જીંદગીનો કાગળ સાવ જ કોરો ને કટ રહે પણ એની લાઇકથી જીવી જવાય છે.

અંતરામાં કવિ એક કદમ આગળ વધે છે ને કહે છે કે, “છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ.“કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.” વાહ..વાહ.. રોમેરોમમાં અહીં નરસિંહ મહેતાની કરતાલ અને કેદાર જેવા એકદમ ઉચિત શબ્દ પ્રયોગો વાંચી તનમન રોમાંચિત બને છે તો એનો લય દિલને પુલકિત કરી દે છે.

બીજો અંતરો અંતરની મર્મભરી વાતો માંડે છે. જાતને ઓળખવાની રીત કેવી રમતિયાળ રૂપે ચિત્રાત્મક કરી આપી છે. આંગળીના ટેરવા, ટચસ્ક્રીનમાં રાસ દ્વારા એક સુંદર માહોલ ઉભો કર્યો છે. ચેટ અને ભેટનો પ્રાસ અહીં આબાદ રીતે અર્થને ખુલ્લાં આકાશની જેમ સ્પષ્ટ કરી આપે છે.

ત્રીજા અંતરાની પહેલી પંક્તિમાં દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેરશું સૂચવે છે? જાણે સાચા સંતની અદાથી જીંદગીને સાચી રીતે જીવવાની જડીબુટ્ટી બતાવી દીધી છે! અને પાછા આગળ એક વાત વધુ ઉમેરે છે કે, જો એ પ્રમાણે ચાલશો ને તો “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર…લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે..”  આ અઘરા અવસર ઉજવવાની કેટલી મોટી વાત કેટલી સરળતાથી કહેવાઈ છે? અહીં ફિકરને ફાકી કરીને બેઠેલા કોઈ ફકીરની આર્ષવાણી સંભળાયા વગર રહેતી નથી.

કાવ્યમાં વિષયની પસંદગી અને ઉઘાડ ક્રમિક રીતે થયેલ છે.મોબાઈલ મંદિર, અઘરા અવસર અને કેદાર-કરતાલ જેવા શબ્દો મનભાવન પ્રયોજ્યા છે. ટેગ,ચેટ,લોગઈન,ટચસ્ક્રીન,લાઈક,રીક્વેસ્ટ,ફેસબુક,કોમેન્ટ,મોબાઈલ વગેરે રોજબરોજના અંગ્રેજી શબ્દોની સાથે ગુજરાતી ભાષાના શબ્દોનો સમન્વય યોગ્ય રીતે યોગ્ય જગાએ શોભાયમાન લાગે છે,ખીલી ઊઠે છે. સતત રમતો લય મનને અને ચરણને ઝંકૃત કરી દે છે.

સીધી ફેસબૂકને માટે લખાયેલ આ રચના અવનવા અર્થોના અને ભાવોના  ઉન્મેષ જગવે છે. “એને’ એટલે ઈશ્વરને, પ્રિયતમાને કે કોઈપણ પ્રિયપાત્રને સંબોધન/સર્વનામ યોગ્ય જ ઠરાવે છે. કવિએ ‘રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે  માં ‘શ્યામની જગાએ કૃષ્ણ શબ્દ-પ્રયોગ કર્યો હોત તો સ્વયંના નામ માટે પણ  યથાર્થ બની જાત એમ લાગ્યું.એકંદરે આ કાવ્ય અનાયાસે સ્ફૂરેલા ઉત્તમ કાવ્યત્વની કોટિએ પહોંચી આનંદનો અનુભવ કરાવે છે તે નિશંક છે. કૃષ્ણભાઈની કલમને અને કવિકર્મને સલામ.

દેવિકા ધ્રુવ  

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.