jump to navigation

કાવ્ય પઠન-સોનેરી એક સાંજ August 26, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર-દેવિકા ધ્રુવ

મને આવી સવાર ગમે-કાવ્યપઠન-સંગીતા ધારિયા August 25, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , 2 comments

મને આવી સવાર ગમે-કાવ્યપઠન-

રચયિતા-દેવિકા ધ્રુવ
કાવ્યપઠન-સંગીતા ધારિયા

 

શતદલ-દ્રશ્ય અને શ્રાવ્ય August 24, 2017

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર અને  સ્વરાંકન–ભાવનાબેન  દેસાઇ

 

 

પૂરવનો જાદુગર-ગીત-ઑડિયો August 23, 2017

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ

સ્વર અને  સ્વરાંકન–ભાવનાબેન  દેસાઇ

 

વાદળદળની ધારે-કાવ્યપઠન August 21, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

રચયિતા-દેવિકા ધ્રુવ
કાવ્યપઠન-સંગીતા ધારિયા

કાવ્યપઠન-નથી હું મીરાં કે નથી હું રાધા August 14, 2017

Posted by devikadhruva in : કાવ્યપઠન , add a comment

‘આઝાદ રેડિયો’ ડલાસ પરથી પ્રસારિત…

રચયિતા  અને સ્વર-દેવિકા ધ્રુવ

“કલમને કરતાલે”… April 22, 2017

Posted by devikadhruva in : Uncategorized , 2 comments

“ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય” દ્વારા પ્રકાશિત
મારો કાવ્યસંગ્રહ “કલમને કરતાલે”…

published  a book of poems by Gurjar Granthratna Karyalay,Ahmedabad.
Kalamne Karatale…..

 

રસદર્શન -૧ January 12, 2017

Posted by devikadhruva in : રસદર્શન , add a comment

કવિ શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ ફેસબુક ! “નું રસદર્શન.-દેવિકા રાહુલ ધ્રુવ

શ્રી કૃષ્ણ દવેની તાજેતરમાં  રચાયેલ કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ કવિતા તરફ નજર કરીએ. ત્યારબાદ રસદર્શન.

! ! ! ફેસબુક ! ! !

એની લાઈકથી જીવી જવાય છે .
બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે .
એની લાઈકથી જીવી જવાય છે .છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ
રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતા જે શીખી ગ્યા ચેટ
એવાની આંગળીયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ
રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર
સામેથી સરનામું સર્ચ કરી પહોચે છે શામળીયો શેઠ એને ઘેર
લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે
એની લાઈકથી જીવી જવાય છે .કૃષ્ણ દવે . તા-21.11.16

રસદર્શનઃ

મને આ કવિતામાં સાંગોપાંગ એક ઉચ્ચ કક્ષાની મસ્તીનો ને સાચા કાવ્યત્વનો ઘેરો રંગ દેખાયો છે. કવિતાની ધ્રુવ પંક્તિમાં તેઓ કહે છે કે, “એની લાઈકથી જીવી જવાય છે.” અહીં જરા ઊંડા ઉતરીને ગહન રીતે વિચારીશું તો “એની લાઈક” દ્વારા સર્જનહારની કૃપાદ્રષ્ટિનો અણસાર તરત જ આવે છે. પરમની નજર અને રહેમ/પસંદગી આપણા તરફ હશે તો જીવી જવાય છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ આ અર્થ વધુ ને વધુ ઉઘડતો જાય છે. એ કહે છે કે, “મારા જીવનની બુક ભલે કોરીકટ લાગે પણ ફેઈસ મને ‘એનો’ દેખાય છે. એની લાઈકથી જીવી જવાય છે.” જાણે કે મીરાંબાઈ  કહેતા હોય કે, મારે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. બીજું ભલે ને કોઈ ન હોય ને જીંદગીનો કાગળ સાવ જ કોરો ને કટ રહે પણ એની લાઇકથી જીવી જવાય છે.

અંતરામાં કવિ એક કદમ આગળ વધે છે ને કહે છે કે, “છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ.“કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.” વાહ..વાહ.. રોમેરોમમાં અહીં નરસિંહ મહેતાની કરતાલ અને કેદાર જેવા એકદમ ઉચિત શબ્દ પ્રયોગો વાંચી તનમન રોમાંચિત બને છે તો એનો લય દિલને પુલકિત કરી દે છે.

બીજો અંતરો અંતરની મર્મભરી વાતો માંડે છે. જાતને ઓળખવાની રીત કેવી રમતિયાળ રૂપે ચિત્રાત્મક કરી આપી છે. આંગળીના ટેરવા, ટચસ્ક્રીનમાં રાસ દ્વારા એક સુંદર માહોલ ઉભો કર્યો છે. ચેટ અને ભેટનો પ્રાસ અહીં આબાદ રીતે અર્થને ખુલ્લાં આકાશની જેમ સ્પષ્ટ કરી આપે છે.

ત્રીજા અંતરાની પહેલી પંક્તિમાં દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેરશું સૂચવે છે? જાણે સાચા સંતની અદાથી જીંદગીને સાચી રીતે જીવવાની જડીબુટ્ટી બતાવી દીધી છે! અને પાછા આગળ એક વાત વધુ ઉમેરે છે કે, જો એ પ્રમાણે ચાલશો ને તો “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર…લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે..”  આ અઘરા અવસર ઉજવવાની કેટલી મોટી વાત કેટલી સરળતાથી કહેવાઈ છે? અહીં ફિકરને ફાકી કરીને બેઠેલા કોઈ ફકીરની આર્ષવાણી સંભળાયા વગર રહેતી નથી.

કાવ્યમાં વિષયની પસંદગી અને ઉઘાડ ક્રમિક રીતે થયેલ છે.મોબાઈલ મંદિર, અઘરા અવસર અને કેદાર-કરતાલ જેવા શબ્દો મનભાવન પ્રયોજ્યા છે. ટેગ,ચેટ,લોગઈન,ટચસ્ક્રીન,લાઈક,રીક્વેસ્ટ,ફેસબુક,કોમેન્ટ,મોબાઈલ વગેરે રોજબરોજના અંગ્રેજી શબ્દોની સાથે ગુજરાતી ભાષાના શબ્દોનો સમન્વય યોગ્ય રીતે યોગ્ય જગાએ શોભાયમાન લાગે છે,ખીલી ઊઠે છે. સતત રમતો લય મનને અને ચરણને ઝંકૃત કરી દે છે.

સીધી ફેસબૂકને માટે લખાયેલ આ રચના અવનવા અર્થોના અને ભાવોના  ઉન્મેષ જગવે છે. “એને’ એટલે ઈશ્વરને, પ્રિયતમાને કે કોઈપણ પ્રિયપાત્રને સંબોધન/સર્વનામ યોગ્ય જ ઠરાવે છે. કવિએ ‘રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે  માં ‘શ્યામની જગાએ કૃષ્ણ શબ્દ-પ્રયોગ કર્યો હોત તો સ્વયંના નામ માટે પણ  યથાર્થ બની જાત એમ લાગ્યું.એકંદરે આ કાવ્ય અનાયાસે સ્ફૂરેલા ઉત્તમ કાવ્યત્વની કોટિએ પહોંચી આનંદનો અનુભવ કરાવે છે તે નિશંક છે. કૃષ્ણભાઈની કલમને અને કવિકર્મને સલામ.

દેવિકા ધ્રુવ  

મોનો-ઈમેજ કાવ્ય-પ્રકારઃ December 19, 2016

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , 1 comment so far

મોનો-ઈમેજ કાવ્ય-પ્રકારઃ

 

કાવ્યના અનેક પ્રકારો છે તેમાંનો એક પ્રકાર મોનો-ઈમેજ છે. ઈમેજ એટલે કલ્પન.  અહીં કલ્પન એટલે બુધ્ધિપૂર્વકનું લાગણીસભર સંકુલ શબ્દચિત્ર. મોનો-ઈમેજના મૂળ ૨૦ મી સદીની શરુઆતમાં અંગ્રેજ-અમેરિકન કવિતાઓમાંથી મળે છે. ૧૯૦૯થી ૧૯૧૭ વચ્ચેના સમયગાળામાં જોરશોરથી તેની ચર્ચાઓ ચાલી. એના મુખ્ય પ્રવર્તક ટી.ઈ. હ્યુમ. અને સૌથી મોટું પ્રદાન કર્યું એઝરા પાઉન્ડ અને રીચાર્ડ એલિંગ્ટને. એઝરા પાઉન્ડ તો એમ કહે છે કે, It is better to present one image in a life time than to produce voluminous work. ત્યાંથી આપણે ત્યાં આ કલ્પનવાદ છઠ્ઠા-સાતમા દાયકામાં ઉતરી આવ્યો. જો કે, આ એક ઓછો ખેડાયેલો અને બહુ પ્રચલિત નહિ તેવો અછાંદસ ટૂંકી કવિતાનો પ્રકાર છે.

 

આપણે ત્યાં તેનાં જુદા જુદા નામો પણ વિચારવામાં આવ્યાં. જેમકે, કશુંક નવું કરવાની ધગશ રાખતા શ્રી મધુ કોઠારીએ તેનું નામ “નવકાવ્યપ્રકાર’ આપ્યો. કવિ શ્રી ઉમાશંકર જોશી એ ‘ભાવપ્રતીક’ કાવ્ય કહી બિરદાવ્યું. શ્રી સુરેશ જોશીએ ‘ચિત્રકલ્પ” કહ્યું તો શ્રી ભાયાણીને તેના અર્થબોધ માટે “કલ્પન’ શબ્દ વધુ સચોટ લાગ્યો.શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ “પ્રતિરૂપ” શબ્દ આપ્યો.

 

હવે આ મોનો ઈમેજના  બાહ્ય સ્વરૂપની વાત કરીએ. એ ગદ્યની જેમ લખાતું ટૂંકું સ્વરૂપ છે. લાઘવ પર ભાર મૂકતું ગદ્યદેહે આલેખાતું આ સ્વરૂપ છે.તેમાં નિરર્થક શબ્દોને સ્થાન જ નથી. કદાચ હાઈકુથી મોટું પણ તેમાં અક્ષરોની કોઈ નિશ્ચિત્ત સંખ્યા કે માત્રાઓની ગણતરી નથી. કોઈ જાતના છંદની યોજના પણ નથી. એ ગદ્યની જેમ લખાતું પદ્ય છે!! એનું આંતરિક રૂપ બહુ મઝાનું છે.

 

અગાઉ કહ્યું તેમ આમાં જે કલ્પન છે તે બે પ્રકારના હોઈ શકે. સ્મૃત અને કલ્પિત.

 

૧) સ્મૃત- પહેલાં જોયેલી કે અનુભવેલી કોઈ વસ્તુ કે કોઈ દ્રશ્યોની છાપ મનોજગતમા, એની ચેતનામાં ક્યાંક સંગ્રહાઈને પડેલી હોય છે. તે છાપ ક્યારેક ફરીફરીને સળવળતી હોય છે. જ્યારે તે છાપને શબ્દોમાં ટૂંકાણમાં છતાં સ્પષ્ટ રીતે ઉતારવામાં આવે છે ત્યારે તે મોનોઈમેજ કાવ્ય બને છે.

 

૨)કલ્પન- કવિ પોતાની કલ્પનાશક્તિ વડે, જોયેલાં કે જોવાતાં,અનુભવેલાં કે અનુભવાતાં દ્રશ્યોમાં કલ્પના ઉમેરી કશું નવું નિર્માણ કરે તે કલ્પિત કલ્પન. એને અલંકારોથી મઢી શબ્દસ્થ કર્યા હોય.આમાં મૌલિકતા  અને અર્થસભરતા વિશેષ હોય. અભિધા અને વ્યંજના બંને હોય. તેથી તેનો પ્રભાવ ભાવકના મનમાં ઉન્મેષ અને આનંદ જગાવે. An image is that presents an intellectual & emotional complex in an instant of time.

 

શ્રી યોસેફ મેકવાન લખે છે કે,કેલીડોસ્કોપમાં જરાક અમથા હલનચલનથી ચિત્ર-વિચિત્ર મોહક રંગોના સંમિશ્રણવાળી જાતજાતની આકૃતિઓ –આકારો રચાય અને ચિત્તમાં આનંદનો દીવો ઝબૂક ઝબૂક થયા કરે, એવો કોઈ અસ્તિત્ત્વને ઝકઝોરતો અનુભવ કરાવે  તે કવિનું કલાકારી  કલ્પન.

 

થોડાં ઉદાહરણ જોઈએ. મધુ કોઠારીનું મોનોઈમેજ કાવ્ય.

૧)

કોમ્પ્યુટર
તને ચહેરો દોરતા આવડે છે?
તો મારા ચહેરામાં
મારી માતાનું મૌન.
ચીતરી દે
અને ચીતરી દે
મારામાં રહેલું બાળક.

 

૨)

ચાંદની
મારા પર ફેલાઈ
ને હું બની ગયો બગલો.
હવે પકડ્યા કરું છું,
વિચારોની માછલી
આખી રાત.

 

અમેરિકામાં રહેતા પ્રીતમ લખલાણીનું એક મોનો-ઈમેજ કાવ્યઃહાર્ટબીટ જેવી ફેન્ટસી છે આમાં.

૧)
છત્રી
છતાં
મુગ્ધા
કોઈની યાદમાં
તરબોળ ભીંજાય..

૨)
ઝાકળથી
લખેલ પત્ર
ફૂલ
પતંગિયા દ્વારા
કોને મોકલતું હશે?

 

સંકલનઃ દેવિકા ધ્રુવ
સંદર્ભઃ યોસેફ મેકવાનના પુસ્તક અને
અન્ય વિવિધ માધ્યમનું વાચન..

 

મુવી-પૂરવનો જાદુગર આવે… December 15, 2016

Posted by devikadhruva in : Uncategorized , add a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.