સમય May 13, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 5 comments
સમયના સામર્થ્યની વાત સહજ નથી
સમય ઘડિયાળના ફરતા કાંટા નથી
સમય વીતીને કદી પાછો વળતો નથી
કે ભાવિની વીતક કદી કહેતો નથી.
સમય તિથિ-વારમાં વહેંચાતો નથી
કે કોઇની મૂઠીમાં કદી બંધાતો નથી
સમય આંસુથી યે રોકાતો નથી
કે સ્મિતથી કદી છેતરાતો નથી.
નથી…,નથી…,નથી.નો આ સમય શું છે ?
સમય તો અનન્તની વિસ્મયલીલા છે.
સમય અનાદિથી સરતી અવિરત ધારા છે.
સમયને જાણવો અને જિરવવો જિગરનું કામ છે.
સમય તો ક્ષણ ક્ષણની સમજ છે.
સમય ઇશ્વરના સામર્થ્યનો અંશ છે…
—-inspired by Dhuni Mandaliya’s article SAMAY in Guj.Times dt.Jan a6 2004——–