jump to navigation

May 6, 2021

Posted by devikadhruva in : Uncategorized , trackback

પ્રેરણામૂર્તિ..

કેટલીક વ્યક્તિઓ જીવતરના ગોખલે હંમેશા ઝગમગતી રહે છે. બાળપણથી આજ સુધી મારા અને મારા જેવા અનેકના જીવનને સ્પર્શેલી મહત્વની ઉમદા વ્યક્તિઓમાંની એક..
સેવામૂર્તિ મુ.મુક્તિબેન મજમુદારને માટે આજે  ખાસ….
જોગાનુજોગ કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના દિવસે ( મે ૭ ) જ આવતા તેમના શુભ જન્મદિને,
પ્રેમ,આદર અને નમન સહિત… શતં જીવ શરદઃ ની શુભેચ્છા અને પ્રાર્થના સાથે….

*************                *************                 ***************

છંદ- શિખરિણી–  ( યમનસભલગા )

(રાગ-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા.)

ઝરે જેના નેત્રે, અમરત તણી ધાર છલકે,

દિસે સેવામૂર્તિ, મૃદુલ કરુણા દિલ ઝળકે,

વિચારો આચારો, જગત હિત કાજે વિહરતા.

અને નામે મુક્તિ, કરમ પરમાર્થે મલકતા.

રુડી વાણી સાચી, તનમન સદા ગાન અમીના,

અપેક્ષા-નિરાશા સરળ રુદિયે ના દિઠી કદા.

રહે ના કો’પીડા સકળ જન એવા અવતરે.

અહો,પામે શાંતિ અગર સહુ પ્રેમે હળી મળે.

વિધિની આ કૃતિ, સજળ નયને વંદુ દિલથી

નમે દેવી સ્નેહે, હ્રદય-મન મુક્તિ-રજ લઇ….

 

 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.