jump to navigation

વિશ્વસંદેશ January 27, 2009

Posted by devikadhruva in : સ્વરચના , trackback

 monkey

( “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે”….ના રાગમાં ) 

 ગાંધી-પ્રિયજન નિજને રે કહીએ જો,રદુ:ખ ભંજક  થઇએ  રે…….

સત્ય, અહિંસા, સમજી સાચા, વિશ્વ-માનવ બનીએ  રે…………

સકળ લોક શાંતિને ઝંખે, ના તો યે કોઇ પામે  રે;

મન-વચનને ઉંચા રાખી, કર્મમાં વણી લઇએ  રે……….ગાંધીપ્રિયજન નિજને

વણ-કપટી ને સ્વાર્થો ત્યાગી, પ્રેમજ્યોત જગાવીએ,

ભૂલથી કદી અસત્ય ન બોલી,પરધન મન નવ ધરીએ  રે….. ગાંધીપ્રિયજન

પ્યાલો  ખાલી અડધો નીરખી, અડધો ભરેલો કહીએ રે,

આવો, મર્મ હવે સમજીને, વિશ્વમાનવ બનીએ રે……. .ગાંધીપ્રિયજન નિજને

“વાનર ત્રણ”નો બોધ મૂકીને,જગ જીતી એ ચાલ્યા રે,

ગાંધીનો પૈગામ એ પામી, વિશ્વચરણ કઇંક ધરીએ  રે….ગાંધીપ્રિયજન નિજને

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.