( “વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે”….ના રાગમાં )
ગાંધી-પ્રિયજન નિજને રે કહીએ જો, પરદુ:ખ ભંજક થઇએ રે…….
સત્ય, અહિંસા, સમજી સાચા, વિશ્વ-માનવ બનીએ રે…………
સકળ લોક શાંતિને ઝંખે, ના તો યે કોઇ પામે રે;
મન-વચનને ઉંચા રાખી, કર્મમાં વણી લઇએ રે……….…ગાંધીપ્રિયજન નિજને
વણ-કપટી ને સ્વાર્થો ત્યાગી, પ્રેમજ્યોત જગાવીએ,
ભૂલથી કદી અસત્ય ન બોલી,પરધન મન નવ ધરીએ રે….. ગાંધીપ્રિયજન
પ્યાલો ખાલી અડધો નીરખી, અડધો ભરેલો કહીએ રે,
આવો, મર્મ હવે સમજીને, વિશ્વમાનવ બનીએ રે……. .ગાંધીપ્રિયજન નિજને
“વાનર ત્રણ”નો બોધ મૂકીને,જગ જીતી એ ચાલ્યા રે,
ગાંધીનો પૈગામ એ પામી, વિશ્વચરણ કઇંક ધરીએ રે….ગાંધીપ્રિયજન નિજને
Comments»
no comments yet - be the first?