ઇશ્વરની કૃતિ January 11, 2009
Posted by devikadhruva in : સ્વરચના , trackback“તૂટેલા કાચના કટકા સિતારા કદી થાતા નથી.”ના શાયરને સલામ
ઇશ્વરની કૃતિમાં ફેરફાર કદી થાતાં નથી,
માનવને પીંછા ને પાંખો કદી થાતા નથી.
અંબર પર માછલાં કદી તરતા નથી,
સમંદર પર સિતારા કદી થાતા નથી.
પંખીઓને પગ અને વાચા કદી હોતા નથી,
પ્રેમીના ભાગે વિરહના દુ:ખ કદી જાતા નથી.
વીતેલા સમયના પાન પાછા કદી ફરતા નથી,
છૂટેલા જીભના તીર પાછા કદી વળતા નથી.
એક્મેકના મનને વાંચી કદી શકાતા નથી,
પોતાના છે જે સાચા, પારકા કદી થાતા નથી.
શાંતિના કોડ પૂરા કોઇના કદી થાતા નથી,
માત્ર સમજ વિના ક્યાંય કદી શાતા નથી !!
Comments»
ખૂબ સુંદર રચના !
આખી રચના હૃદયથી માણી.
આ શેર તો ખૂબ જ ગમ્યો ઃઃ
શાંતિના કોડ પૂરા કોઇના કદી થાતા નથી,
માત્ર સમજ વિના ક્યાંય કદી શાતા નથી !!
અભિનંદન !