ગીતા-દર્શન June 27, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 4 comments
ગીતા-દર્શન
અઢાર પર્વનું મહાભારત
ને અઢાર અધ્યાયની ગીતા,
મહાભારતના તુલસીક્યારે
દીવો પ્રગટ્યો તે ગીતા,
જ્ઞાન-કર્મ-ભક્તિની ગાથા
ત્રણેની ના જુદી કથા,
એક વગરના બે અધૂરા
ત્રિવેણીતીર્થ મળે તે ગીતા.
વિષાદ યોગથી પ્રારંભ એનો,
બ્રહ્મનિર્વાણે વિરામ
શબ્દકોષમાં અર્થ જડે,
જીવનનો અર્થ વદે તે ગીતા.
(inspired by Gunvant Shah’s book )