ગઝલકાર આદિલભાઇ મનસુરીને…. May 18, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 2 commentsગઝલ-સમ્રાટના શુભ જન્મદિને
ઉર્મિઓ પ્રગ્ટે છે શબ્દાકારે;
કસબી ગઝલના આદિલજીને
શુભેચ્છાઓ દે છે દિલની આજે.
સુગંધ શ્વાસમાં લઇ ફરે નગરને
શબ્દ મૌનની ધુમ મચાવે;
ધૂળ માથે લઇ ફરે વતનને
પૂર્વથી પશ્ચિમ સિધ્ધિ લહેરાવે.
અનોખા અગ્રણી આ ગઝલકારને,
શુભેચ્છાઓ ફરી ફરી વંદન સાથે.
———————————————————————
છ્ન્નુની સાલમાં આદિલભાઇના સાઠમાં જન્મદિને સુરેશ દલાલે લખેલા શબ્દો ટાંકીને વિરમીશ.
“આદિલની ગઝલના રેશમી પોત પર કલ્પનનુ બારીક નક્શીકામ છે.એમની ગઝલોમાં શબ્દ-રમત કે કરામત નથી.આદિલને વાંચો તો તમે સુખથી બેચેન થઇ શકો અને ચેનથી દુ:ખી થઇ શકો.આદિલ જેવો ગઝલકાર વરસે બે વરસે નહિ પણ પચીસ પચાસ વરસે મળે તો મળે.”