jump to navigation

ગઝલકાર આદિલભાઇ મનસુરીને…. May 18, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 2 comments

ગઝલ-સમ્રાટના શુભ જન્મદિને

         ઉર્મિઓ પ્રગ્ટે છે શબ્દાકારે;

કસબી ગઝલના આદિલજીને

        શુભેચ્છાઓ દે છે દિલની આજે.

સુગંધ શ્વાસમાં લઇ ફરે નગરને

       શબ્દ મૌનની ધુમ મચાવે;

ધૂળ માથે લઇ ફરે વતનને

        પૂર્વથી પશ્ચિમ સિધ્ધિ લહેરાવે.

અનોખા અગ્રણી આ ગઝલકારને,

    શુભેચ્છાઓ ફરી ફરી વંદન સાથે.

———————————————————————

  છ્ન્નુની સાલમાં આદિલભાઇના સાઠમાં જન્મદિને સુરેશ દલાલે લખેલા શબ્દો ટાંકીને વિરમીશ.

“આદિલની ગઝલના રેશમી પોત પર કલ્પનનુ બારીક નક્શીકામ છે.એમની ગઝલોમાં શબ્દ-રમત કે કરામત નથી.આદિલને વાંચો તો તમે સુખથી બેચેન થઇ શકો અને ચેનથી દુ:ખી થઇ શકો.આદિલ જેવો ગઝલકાર વરસે બે વરસે નહિ પણ પચીસ પચાસ વરસે મળે તો મળે.”

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.