ભિતરના ખજાના May 2, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackback
મનની ભીતરમાં ભર્યા છે ખજાના
સાગર મહીં જેમ મોતીને હીરા
સાચાં કે ખોટા, સારા કે નરસા
કદી ન જાણે કોઇ મનની માળા
ડૂબકી મારી મારી મથે સૌ પલ પલ
જડે તો યે ફક્ત શંખોને છીપલાં
મરજીવા પહોંચે છેક પાતાલ પાણી
સુણે અચાનક કો’ આકાશ વાણી
ગેબી એ વાણી, જાણી અજાણી
લાવી કિનારે ધરે શબ્દોનાં મોતી
રામ કે રહિમ, કૃષ્ણ કે શિવ
પયગમ્બર કે જિસસની એક જ ભાષા
સાચા છે મનનાં સુવિચારોનાં હીરા
ચમકાવે જીવન આ ભીતરના ખજાના
Comments»
Jivan nu satya samjavyu che tame….