દર જન્મદિનની જેમ આ વર્ષે પણ મારી સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે આશ્ચર્યજનક ભેટ મળી. આમ તો વાંચતા-લખતાં રહેવું એ એક દૈનિક મનગમતી પ્રવૃત્તિ છે. પણ એ જ્યારે ક્યાંક કોઈ ખૂણે પોંખાય ત્યારે ખુશી જરૂર થાય.
આકાશવાણી, અમદાવાદના પૂર્વ નિયામક, શ્રી ભગીરથ પંડ્યાએ તેમના ‘કાવ્યસ્મૃતિ’ ઑડિયો મેગેઝીન માટે તૈયાર કરેલ ઍપિસોડ મોકલ્યો. તેમાં તેમણે ખાસ્સી જહેમત કરીને ઠેકઠેકાણેથી મારાં સાહિત્યિક પ્રદાન પર કેંદ્રિત વિગતો મેળવી પોતાના અવાજમાં રજૂ કરી છે.