jump to navigation

નવો કાવ્યસંગ્રહઃ ‘અહીં જ બધું.’ ગૂર્જર પ્રકાશન, અમદાવાદ. February 9, 2025

Posted by devikadhruva in : કાવ્યો , trackback

પવન વેગે ઊડતો સમય કેવી કેવી સફર કરાવે છે !  જોતજોતાંમાં ત્રીજો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યાને સાત વર્ષ વીતી ગયાં. દરમ્યાનમાં નદીઓનાં વહેણ કેટલાં અને કેવાં બદલાઈ ગયાં, કેટલાં વહી ગયાં !

શબ્દોને પાલવડે’, ‘અક્ષરને અજવાળેઅને કલમને કરતાલેપછીના આ કાવ્યસંગ્રહમાં ૨૦૧૭ પછી  લખાયેલાં નવાં ગીત, ગઝલ, મુક્તકો  અને અછાંદસ ઉપરાંત આજ સુધી (ઑગષ્ટ ૨૦૨૩ સુધી) લખાયેલ તમામ રચનાઓ આઅહીં જ બધુંમાં સમાવેશ કર્યો છે.

 

આ અવસરે અનુભૂતિની છાલક/ બસ, આટલું જ/પ્રસ્તાવના વગેરે લખી મોકલવા બદલ ગઝલકાર શ્રી અદમ ટંકારવી, કવયિત્રી લતા હિરાણી, રક્ષા શુકલ અને મુ.પન્ના નાયક તરફ હૃદય  કૃતજ્ઞતાથી નમે છે અને ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત આ સંગ્રહની આસપાસ ગૂંથાયેલાં તમામ પરિબળો અને પરિવારજનો પ્રત્યે મસ્તક અહોભાવથી  ઝુકે છે.

‘ગૂર્જર સાહિત્ય પ્રકાશન’ના માનનીય અને અનુભવી વડીલ શ્રી મનુભાઈ શાહનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તેમને દિલથી વંદન. 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.