આદ્ય કવિ નરસિંહ મહેતા એટલે શબ્દ, સૂર અને સંગીતના સ્વામી, અલખના આરાધક. સૈકાઓ થયાં, “જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા” એ પ્રભાતિયાંથી ગુજરાતીઓનું પરોઢ ઉઘડે છે. ખળખળ વહેતા ઝરણાં જેવું કર્ણપ્રિય અને સુમધુર ભજન. નરસિંહ મહેતા વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. તેમના પ્રેમપૂર્ણ હૃદયમાંપ્રાર્થનાનું કે ભજનનું કોઈ માળખું ગોઠવેલુંનહોતું રહેતું. એ તો બસ, શ્વાસ લેવા જેટલી સ્વાભાવિકતાથી પદો રચતાં. તેમની વાણી અંતરમાંથી સહજ સ્ફ઼ુરી ઊઠતી હતી.
આ ભજનમાં ખુદ ઇશ્વરની માનવીયતા બતાવવામાં આવી છે. કૃષ્ણને યશોદા દ્વારા સંબોધવામાં આવ્યો છે. નજર સામે દિકરાને પ્રેમથી ઊઠાડતી માતાનું એક ચિત્ર ઊભું થાય છે એ કલ્પના જ કેટલી કાવ્યમય છે! પણ ખરેખર યશોદા મા કૃષ્ણને જગાડે છે એટલો જ ભાવ છે ? ના; ઈશ્વર તો જાગેલો જ છે. જાગવાનું તો જગતે છે, માનવીએ સતત જાગૃત રહેવાનું છે. એનો ભીતરનો અર્થ છે કે યશોદાજી પોતાના અંતરને જગાડી રહ્યાં છે. “ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યા” એટલે કે ૩૬૦ દિવસ આપણે જાગતા રહીને કાર્યરત રહેવાનું છે. અહીં બીજું તત્ત્વવજ્ઞાન એ છુપાયેલું છે કે, ૩૬૦ ગોવાળિયા દ્વારા શરીરના ૩૬૦ સાંધા કે નસોને જાગતી રાખવાની વાત છે. વડો ગોવાળિયો તો જાગતો જ છે. ભૂમિનો ભાર જેણે વેઠ્યો છે અને કાળી નાગને જેણે નાથ્યો છે; એ તો અહર્નિશ જાગતો જ છે. પણ આપણે એ સાચી રીતે જાણી લેવાનું છે અને તો જ દહીંતણાં દહીંથરાં, ઘી તણાં ઘેબરાં અને કઢિયેલ દૂધ પીવાશે. કેટલી ઉચ્ચતમ વાત સહજ રીતે કરવામાં આવી છે. આપણે જ આપણા સાંસારિક કાર્યોમાં પ્રવૃત્ત રહેવાનું છે.
કહેવાય છે કે, ભગવાન શ્રી કૃષ્ણ તેમને હાજરાહજૂર હતાં. હરિ સાથેના તેમના સંબંધમાં એક અદ્ભૂત રેશમી ગાંઠ હતી અને તેથી તો વ્યવહારું જગતમાં અનેક વખત તેમની હૂંડી સ્વીકારાઈ છે, લાજ સચવાઈ છે. “જમૂનાને તીર ગૌધણ ચરાવતાં…પંક્તિમાં તે કહે છે કે, જાગીને કાર્યરત રહેશો તો જ જીવનમાં મધુરી મોરલી વાગશે; તો જ આટીઘૂંટીમાંથી સરળ રીતે બહાર આવી શકાશે. નહિ તો ‘બૂડતા બાંયડી કોણ સાધશે ?” દુઃખને સમયે કોણ ઉગારશે ? કેટલી સીધી રીતે ઊંચી આધ્યાત્મિક વાત આ સંત કવિએ કરી છે? ઇશ્વરને માનવની સાવ નજીક મૂકી દઈને ખૂબ આશા આપી દીધી છે. “ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે”…સંપૂર્ણ સ્વૈછિક સમર્પણ અને તેમાં જ પરમ આનંદ. सर्वधर्मान्परित्यज्यमामेकंशरणंव्रज નો જ જાણે પડઘો..
જેના રોમેરોમમાં ભક્તિ છે એવા આ નરસિંહ મહેતા આર્ષ કવિ હતા તેમણે દૂરનું જોયું છે, અતિ ઝીણવટથી જોયું છે અને અતિ સાદી ભાષામાં સર્જ્યું છે. કદાચ તેથી જ આજે ૬ એક દાયકા પછી પણ તેમના પ્રભાતિયાંઓ અને ભજનો ગુજરાતીઓનાં હોઠ અને હૈયે ગૂંજતા છે. હજી આજે પણ માત્ર ઘેરઘેર નહિ, વ્યક્તિએ વ્યક્તિના મોબાઈલના રીંગટોનમાં આ પદ માનીતુ થઈ પડ્યું છે કે “જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા”….શબ્દેશબ્દમાં લાલિત્ય છે, અર્થનું ગાંભીર્ય છે અને તાત્ત્વિક ઊંડાણ છે.
આ સીધા સાદા શબ્દોની પાછળ અનેક રહસ્યો છુપાયેલાં છે અને જેમજેમ અંતરયાત્રા થતી જાય તેમતેમ આ રહસ્યો ઊઘડતાં જાય છે. અત્રે યાદ આવે છે કે, જ્યારે નરસિંહ મહેતાના આ ભજનનો રસાસ્વાદ કરાવ્યો ત્યારે એક સહૃદયી ભાવકે એક વિચારણીય અભિપ્રાય ટાંકતા કહ્યું હતું કે, નરસિંહ મહેતાના આ ભજનનો પ્રથમ શબ્દ છે “જાદવા”. જાદવાનો અર્થ છે “યાદવા” અર્થાત યાદ કરનાર. આપણે બધા પરમાત્માનો અંશ જ છીએ. સમસ્યા કેવળ એટલી જ છે કે આપણે તે ભૂલી ગયા છીએ અથવા બેહોશ છીએ. જેથી યાદ માત્ર એ કરવાનુ છે કે આપણે સૌએ જાગવાનુ છે અને આપણું મૂળ સ્વરુપ આપણે જાણવાનું છે. એટલે નરસિંહ મહેતા કહે છે,”જાગને જાદવા”. જાગ અને યાદ કર.
બીજો શબ્દ છે “કૃષ્ણ” કૃષ્ણ શબ્દના ઘણા અર્થ થાય છે જેમાંનો એક અર્થ છે “કૃષિજ્ઞ” અર્થાત કુશળ ખેડુત. આપણને જે માટીનો દેહ મળેલ છે તે જમીનને ખેડવાની છે અને તે પણ એક કુશળ ખેડુતની માફક.
ત્રીજો શબ્દ છે “ગોવાળિયા”. “ગો” ના બે અર્થ છે એક તો ગાય અને બીજો “ઈન્દ્રીયો”. ગોવાળિયાનો અર્થ છે જેણે ઈન્દ્રીયોને વાળી તે. જે ભટક્યા કરે છે સંસારિક સુખદુખમાં. આ ઈન્દ્રિયોને આપણે દેહરુપી જમીનમાં ખેડાણ કરીને અને જાગૃતિપૂર્વક વાળી શકીએ છીએ; જેમ એક કુશળ ખેડુત તેના સાધનોનો ઉપયોગ કરે છે તેમ.
ચોથો શબ્દ છે “ધેન” ધેનનો અર્થ છે ગોચર. જ્યાં આપણી ઈન્દ્રીયો ચરવા જતી રહે તે વાસનાઓનો અને સંસારનો પ્રદેશ. હવે આ પ્રથમ બે લીટીઓ વાંચવાથી વધુ ઑર આનંદ આવે છે..જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ?
નરસિંહ મહેતા કોઈ યુનિવર્સિટીમાં જઈને ભણ્યા ન હતા. પણ પ્રકૃતિની પરમ શકિત વિષેની શ્રદ્ધા અને ભક્તિમાંથી લાધેલા જ્ઞાની હતા અને એ જ જ્ઞાનની અનુભૂતિને કાવ્યમય રીતે વહેતી મૂકવાની તેમની સ્વયંભૂ કલાએ તેમને સંત-કવિ બનાવ્યા, તેમના પદોને અમર બનાવ્યાં. સાંપ્રત સમાજ હજી પણ જાગી શકે જો ‘’જાગને જાદવા” બરાબર સમજે તો…
સંતકવિની સ્વયંભૂ કલમને વંદન.
દર જન્મદિનની જેમ આ વર્ષે પણ મારી સર્જનાત્મક પ્રવૃત્તિઓ અંગે આશ્ચર્યજનક ભેટ મળી. આમ તો વાંચતા-લખતાં રહેવું એ એક દૈનિક મનગમતી પ્રવૃત્તિ છે. પણ એ જ્યારે ક્યાંક કોઈ ખૂણે પોંખાય ત્યારે ખુશી જરૂર થાય.
આકાશવાણી, અમદાવાદના પૂર્વ નિયામક, શ્રી ભગીરથ પંડ્યાએ તેમના ‘કાવ્યસ્મૃતિ’ ઑડિયો મેગેઝીન માટે તૈયાર કરેલ ઍપિસોડ મોકલ્યો. તેમાં તેમણે ખાસ્સી જહેમત કરીને ઠેકઠેકાણેથી મારાં સાહિત્યિક પ્રદાન પર કેંદ્રિત વિગતો મેળવી પોતાના અવાજમાં રજૂ કરી છે.
સાહિત્યનાં કોઈપણ કાવ્યસ્વરૂપને શીખતાં પહેલાં તેનું મૂળ, ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જાણવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે દરેક કાવ્યપ્રકારનાં અંતર્ગત અને બાહ્ય સ્વરૂપ હોય છે. બાહ્યસ્વરૂપ માત્ર જે તે કાવ્યપ્રકારનું માળખું સમજાવે છે. પણ ખરું કાવ્ય તત્ત્વ અને ખૂબી આંતરસ્વરૂપમાં છે.
હાઈકુઃ મૂળઃ ઉદભવ,સ્વરૂપઅનેવિકાસઃ
કાવ્યવિશ્વમાં સૌથી નાનું સ્વરુપ છેહાઈકુ. હાઈકુ એ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે.. સત્તરમીસદીમાં (૧૬૪૪–૧૬૯૪) બાશોનામનાકવિએ ‘હાઈકુ’ નુંસર્જનકર્યું. તેમણેતેને ‘હોક્કુ’ કહી. તેનો અર્થ થાય છે ‘પ્રારંભિક કડી’.પછીસમયજતાંતે ‘હાઈકાઈ ‘ નામેઓળખાઈ. તેમાંથીઅંતેનામથયું ‘હાઈકુ’!
એક અંગ્રેજી સાહિત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે,’સ્ટોપ-શોર્ટ’. “Stop-short” ! અર્થાત અહીં જ અટકો. કવિ શ્રી યોસેફ મેકવાન કકે છે કે, “ભાષાનાસંદર્ભેજાપાનીઝહાઈકુઅનેઆપણીભાષાનાહાઈકુવચ્ચેભિન્નત્વરહેવાનું. બંનેનીઅલગતાસીરરહેવાની. કારણકેબંનેભાષાઓનુંકુળઅલગછેને ? જાપાનીઝભાષાનાનામ,ક્રિયાપદ.વિશેષણો,ક્રિયાવિશેષણોવગેરેનાપદક્રમોનીગોઠવણીથીઅર્થસૂચવાયછે. એટલેત્યાંપદક્રમમહત્વનોછે. જ્યારેઆપણીગુજરાતીભાષામાંપ્રત્યયોવિનાડગનમૂકાય. પરિણામેભાષાઆલંકારિકબને. એટલેજાપાનીઝભાષાનીહાઈકુ–વિભાવનાઅહીંખપમાંનલાગે.
સ્નેહરશ્મિ પછી કેટલાંકે હાઈકુમાં યત્કિંચિત સર્જન કર્યું છે. આધુનિકસમયમાંપન્નાનાયકેઘણાંસુંદરહાઈકુસર્જ્યાછે. તેમનો ‘અત્તરઅક્ષર’ ખૂબમનભાવનસંગ્રહબન્યોછે.
સ્વરૂપઃઆંતર અને બાહ્યઃ
ત્રણ પંક્તિ- ૧૭ અક્ષર- ૫-૭-૫. હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. છતાં એમાં અપાર શક્તિ રહેલી જણાય છે. હાઈકુનીપ્રથમશરતએછેકેએપ્રકૃત્તિનાતત્ત્વોથીશબ્દચિત્રરચાય. હાઈકુઅણુમાંવિરાટનુંદર્શનકરાવે. એ માત્ર ૫-૭-૫ અક્ષરોથી રચાયેલું “ફ્લેટ સ્ટેટ્મેન્ટ” (સીધું વિધાન) ન જ હોવું જોઈએ.
સત્તર અક્ષરોમાં, જાણે પીંછીના એક જ લસરકે ચિત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ‘ઈમેજ’ દ્વારા વિશ્વની કોઈ એક અજાયબી મનોજગતમાં સ્થાપી દેવાની !! એમ બને ત્યારે જ એ સાચું કાવ્ય ગણાવી શકાય. ત્રણ પંક્તિમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પૂર્ણતાને પામી જાય છે ! ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચિત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પૂરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે. આટલી મર્યાદિત અક્ષર-સંખ્યામાં આખી કાવ્યકૃતી રચવી એ બહુ સંયમ અને વિવેક માગી લેનારી બાબત છે. હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ નહિ. સિદ્ધહસ્ત કવિઓ કહે છે કે હાઈકુનો અર્થ આંખથી સંભળાય..હા, આંખથી સંભળાય અને કાનથી જોવાય !!
ત્રણ પંક્તિઓ જ વામનનાં વિરાટ ત્રણ પગલાં જેવી સાબિત થાય.
કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો. સ્વરો સઘળા સંગે લઈને, વ્યંજનોમાં ઘૂમ્યો.
રેતી,માટી,પથ્થર માફક,અક્ષર વળગે સજ્જડ, એકમેકની સંગ મળીને રચે ઈમારત ફક્કડ.. હરે,ફરે ને ખેલે ખેલ,અંદર જાણે મેજીક મહેલ, માત્રાઓની સહેલ માણતો, પાક્કો પાયો કરતો ચાલ્યો, કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
બારાખડીની બારી ખોલી, હવા-ઉજાસ તો પહોંચે છેક,
શબ્દ રૂમઝૂમ નાચે લયબદ્ધ, પાંચે તત્ત્વો કેવાં નેક! તેજપુંજથી પલળું રોજ,અર્થ-નીરથી નીતરું રોજ, મનને હશે શેની આ ખોજ!! કે રુંવેરુંવે ઝુમ્યો, ના તૂટ્યો. કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૭મી બેઠક, ૨૦મી એપ્રિલના રોજ, વડતાલધામ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી. આમંત્રિત મહેમાન તરીકે અમદાવાદના કવિ અને સંગીતકાર,ગાયક અને હાસ્યકાર ડો. શ્રી શ્યામલ મુનશી હતા.
શરૂઆતમાં પ્રમુખ શ્રી નિખિલ મહેતાના સ્વાગત પછી, મસાલા રેડિયોના RJ ઈના પટેલ દ્વારા પુષ્પ-ગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તે પછી ભાવના દેસાઈના મધુર કંઠે સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી. દેવિકા ધ્રુવે શ્રી શ્યામલ મુનશીનો સુપેરે પરિચય આપી, તેમની જ એક પંક્તિ ટાંકીને સભાનું સૂકાન કવિને સોંપ્યું.
શ્યામલભાઈએ, શરૂઆતમાં જ, પરિચય અંગે અગાઉ થયેલ અનુભવને યાદ કરી, એકદમ હળવી રમૂજથી સભાગૃહમાં સ્મિતની પીંછી ફેરવી. તે પછી એક કૃષ્ણ-ભજન ભાવભેર ગાઈને ગીત-સંગીતનું વાતાવરણ ઊભું કર્યુ..
હાસ્યકાર અને ગાયક તરીકેની આ બે ઝલક પછી કવિ તરીકે તેમનું સુવિખ્યાત થયેલ ગીતઃ
‘અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.’ રજૂ કર્યું તે સાથે જ સૌએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.
આ ગીત પછી ‘વૃક્ષ બીજું શું કરે?’ ગઝલ સંભળાવી.તે ઉપરાંત બીજી પણ ગઝલોના કેટલાક શેર કાબિલેદાદ હતાઃ
“એ માર્ગ બતાવે છે કે, મારે છે ઠોકર, એ નક્કી કર.
તારી સામે છે તે, ઇશ્વર છે કે પત્થર, એ નક્કી કર..”
દરિયાએ દૂરદૂરથી નદીઓ નોતરી..કંકોતરી..લીલોતરી વગેરે મઝાના કાફિયાયુક્ત લાંબી બહેરની ગઝલો મજેદાર રીતે સંભળાવી. શ્રોતાજનોનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળતો જતો હતો.
સુરતના જાણીતા ગઝલકાર ગૌરાંગ ઠાકરની પણ એક ગઝલ..’પ્રભુ તો લાં….બી રજા ઉપર છે.’ રજૂ કરી.
ત્યારપછી કેટલીક કરુણરસની વેદનાસભર રચનાઓ પ્રસ્તૂત કરી.
‘દાદા નામે વડ અને ‘આગ’ એમ બે કાવ્યો સંભળાવ્યાં.
નાનપણમાં જોયેલા ખાલી બાંકડા ઉપરથી એક વૃદ્ધના મનોભાવોને સુંદર રીતે વ્યક્ત કર્યા કે,
વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,. એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ.
વ્યવસાયે ડોક્ટર હોઈ દર્દીઓની પીડાનાં કારણોમાં ઊંડા ઉતરી, કેટલીક કલ્પનાઓ ભરી રચેલી કવિતાઓમાંની એક ખૂબ જ દર્દભરી હતી જે તેમના કવિકર્મના કૌશલ્યની દ્યોતક જણાઈ.
આ રહી એ પંક્તિઓઃ
‘ કંકુ, મેંદી, પીઠી કેરો રંગ નીકળ્યો કાચો,
આજે જે લાગ્યો છે કાળો તે જ સાચો.’
ત્યારબાદ એક કુશળ કલાકાર તરીકે, ભારે થયેલા વાતવરણને હળવેથી, વ્યંગભરી હાસ્યરચના તરફ વાળી લીધું. કવિ શ્રી દલપતરામની જૂની કવિતાઓને યાદ કરી, મનહર છંદમાં લખાયેલી સુંદર રચનાઓ સંભળાવી. હાથીની સર્જરી, લીલા પોપટલાલની ઉધરસ વગેરે વાતો થકી વાતાવરણમાં હળવાશ ભરી દીધી. વાર્તા અને વિચારની થીમ પર થોડા રમૂજી ટુચકા સંભળાવ્યા. ’ળ’ને બદલે ‘ર’ બોલે તો કેવું લાગેઃ
‘મૂરજીભાઈ ગોરવારા’ ની કવિતા સંભળાવી.
‘સુખ’‘ના થીમ પર “મને તો સુખ એમાં દેખાય’ અને
‘સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.’ એ ગીત ભાવસભર ગાઈને સંભળાવ્યું.
આ જ વિષય પર કવિની પારિમાણિક અભિવ્યક્તિની વાત ખૂબ મનનીય લાગી. તનસુખ, મનસુખ અને આત્મસુખ એટલે અનુક્રમે પુનરાવર્તન,પરિવર્તન અને કાયમી આનંદની ઊંચી અને સાચી વાત સૌને સ્પર્શી ગઈ.
વાતાવરણમાં રંગ જામતો જતો હતો અને સમય પણ સરતો જતો હતો. તેવામાં સભામાંથી કેટલીક ફરમાઈશ આવી જેને ન્યાય આપતાં શ્યામલભાઇએ ‘ગરબાની રીતે ગરબો તું ગા..’ અને’કવિ શ્રી તુષાર શુક્લની ‘દરિયાની રેતી કંઈ મોજાને પૂછે’ પણ મધુરતાથી ગાઈ સંભળાવ્યું. તે પછી એક-બે ગીતમાં શ્રોતાઓને પણ સામેલ કરી વાનગીના ગીતમાં ‘ભાત… જાતજાતના ભાત’ બોલતા કરી દીધા. એટલું જ નહિ, રેપસોંગની રજૂઆત દરમ્યાન ‘શું કો’ છો? શું કો’ છો? હેં… શું કો’ છો? કહેતાં કહેતાં તો હોલમાં જાણે હાસ્યનાં મોજાં ફરી વળ્યાં.
છેલ્લે, રમૂજી રીતે ભાષાની કેટલીક ગંભીર વાતો પર સૌનું ધ્યાન કેંદ્રિત કર્યું. દેશમાં અને વિદેશમાં ગુજરાતી ભાષાની કટોકટી વર્તાય છે એ સંજોગોમાં શક્ય તેટલા પ્રયાસો ચાલુ રાખવાની સૌની ફરજ છે એ સ્થાપિત કરી પોતાનું વિવિધરંગી વક્તવ્ય અને રજૂઆતનું સમાપન કર્યું. સૌએ ઊભા થઈ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યું જેના એ સાચે જ હકદાર બની રહ્યા.
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૭મી બેઠક, ૧૩મી એપ્રિલના રોજ, વડતાલધામ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી. આમંત્રિત મહેમાન તરીકે અમદાવાદના કવિ અને સંગીતકાર,ગાયક અને હાસ્યકાર ડો. શ્રી શ્યામલ મુનશી હતા.
શરૂઆતમાં પ્રમુખ શ્રી નિખિલ મહેતાના સ્વાગત પછી, મસાલા રેડિયોના RJ ઈના પટેલ દ્વારા પુષ્પ-ગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તે પછી ભાવના દેસાઈના મધુર કંઠે સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી. દેવિકા ધ્રુવે શ્રી શ્યામલ મુનશીનો સુપેરે પરિચય આપી, તેમની જ એક પંક્તિ ટાંકીને સભાનું સૂકાન કવિને સોંપ્યું.
શ્યામલભાઈએ, શરૂઆતમાં જ, પરિચય અંગે અગાઉ થયેલ અનુભવને યાદ કરી, એકદમ હળવી રમૂજથી સભાગૃહમાં સ્મિતની પીંછી ફેરવી. તે પછી એક કૃષ્ણ-ભજન ભાવભેર ગાઈને ગીત-સંગીતનું વાતાવરણ ઊભું કર્યુ..
હાસ્યકાર અને ગાયક તરીકેની આ બે ઝલક પછી કવિ તરીકે તેમનું સુવિખ્યાત થયેલ ગીતઃ
‘અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.’ રજૂ કર્યું તે સાથે જ સૌએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા. આ ગીત પછી ‘વૃક્ષ બીજું શું કરે?’ ગઝલ સંભળાવી.
તે ઉપરાંત બીજી પણ ગઝલોના કેટલાક શેર કાબિલેદાદ હતાઃ
“એ માર્ગ બતાવે છે કે, મારે છે ઠોકર, એ નક્કી કર.
તારી સામે છે તે, ઇશ્વર છે કે પત્થર, એ નક્કી કર..”
દરિયાએ દૂરદૂરથી નદીઓ નોતરી..કંકોતરી..લીલોતરી વગેરે મઝાના કાફિયાયુક્ત લાંબી બહેરની ગઝલો મજેદાર રીતે સંભળાવી. શ્રોતાજનોનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળતો જતો હતો.
સુરતના જાણીતા ગઝલકાર ગૌરાંગ ઠાકરની પણ એક ગઝલ..’પ્રભુ તો લાં….બી રજા ઉપર છે.’ રજૂ કરી.
ત્યારપછી કેટલીક કરુણરસની વેદનાસભર રચનાઓ પ્રસ્તૂત કરી.
‘દાદા નામે વડ અને ‘આગ’ એમ બે કાવ્યો સંભળાવ્યાં.
નાનપણમાં જોયેલા ખાલી બાંકડા ઉપરથી એક વૃદ્ધના મનોભાવોને સુંદર રીતે વ્યક્ત કર્યા કે,
વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,. એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ.
વ્યવસાયે ડોક્ટર હોઈ દર્દીઓની પીડાનાં કારણોમાં ઊંડા ઉતરી, કેટલીક કલ્પનાઓ ભરી રચેલી કવિતાઓમાંની એક ખૂબ જ દર્દભરી હતી જે તેમના કવિકર્મના કૌશલ્યની દ્યોતક જણાઈ.
આ રહી એ પંક્તિઓઃ
‘ કંકુ, મેંદી, પીઠી કેરો રંગ નીકળ્યો કાચો,
આજે જે લાગ્યો છે કાળો તે જ સાચો.’
ત્યારબાદ એક કુશળ કલાકાર તરીકે, ભારે થયેલા વાતવરણને હળવેથી, વ્યંગભરી હાસ્યરચના તરફ વાળી લીધું. કવિ શ્રી દલપતરામની જૂની કવિતાઓને યાદ કરી, મનહર છંદમાં લખાયેલી સુંદર રચનાઓ સંભળાવી. હાથીની સર્જરી, લીલા પોપટલાલની ઉધરસ વગેરે વાતો થકી વાતાવરણમાં હળવાશ ભરી દીધી. વાર્તા અને વિચારની થીમ પર થોડા રમૂજી ટુચકા સંભળાવ્યા. ’ળ’ને બદલે ‘ર’ બોલે તો કેવું લાગેઃ
‘મૂરજીભાઈ ગોરવારા’ ની કવિતા સંભળાવી.
‘સુખ’‘ના થીમ પર “મને તો સુખ એમાં દેખાય’ અને
‘સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.’ એ ગીત ભાવસભર ગાઈને સંભળાવ્યું.
આ જ વિષય પર કવિની પારિમાણિક અભિવ્યક્તિની વાત ખૂબ મનનીય લાગી. તનસુખ, મનસુખ અને આત્મસુખ એટલે અનુક્રમે પુનરાવર્તન,પરિવર્તન અને કાયમી આનંદની ઊંચી અને સાચી વાત સૌને સ્પર્શી ગઈ.
વાતાવરણમાં રંગ જામતો જતો હતો અને સમય પણ સરતો જતો હતો. તેવામાં સભામાંથી કેટલીક ફરમાઈશ આવી જેને ન્યાય આપતાં શ્યામલભાઈએ ‘ગરબાની રીતે ગરબો તું ગા..’ અને’કવિ શ્રી તુષાર શુક્લની ‘દરિયાની રેતી કંઈ મોજાને પૂછે’ પણ મધુરતાથી ગાઈ સંભળાવ્યું. તે પછી એક-બે ગીતમાં શ્રોતાઓને પણ સામેલ કરી વાનગીના ગીતમાં ‘ભાત… જાતજાતના ભાત’ બોલતા કરી દીધા. એટલું જ નહિ, રેપસોંગની રજૂઆત દરમ્યાન ‘શું કો’ છો? શું કો’ છો? હેં… શું કો’ છો? કહેતાં કહેતાં તો હોલમાં જાણે હાસ્યનાં મોજાં ફરી વળ્યાં.
છેલ્લે, રમૂજી રીતે ભાષાની કેટલીક ગંભીર વાતો પર સૌનું ધ્યાન કેંદ્રિત કર્યું. દેશમાં અને વિદેશમાં ગુજરાતી ભાષાની કટોકટી વર્તાય છે એ સંજોગોમાં શક્ય તેટલા પ્રયાસો ચાલુ રાખવાની સૌની ફરજ છે એ સ્થાપિત કરી પોતાનું વિવિધરંગી વક્તવ્ય અને રજૂઆતનું સમાપન કર્યું. સૌએ ઊભા થઈ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યું જેના એ સાચે જ હકદાર બની રહ્યા.