jump to navigation

હાઈકુઃ કાવ્યવિશ્વમાં  સૌથી નાનું સ્વરુપ January 13, 2026

Posted by devikadhruva in : કાવ્ય-પ્રકાર વિશે સંકલન , add a comment

હાઈકુઃ

સાહિત્યનાં કોઈપણ કાવ્યસ્વરૂપને શીખતાં પહેલાં તેનું મૂળ, ઉદ્ભવ, સ્વરૂપ, વિકાસ વગેરે વિષે જાણવું ખૂબ જરૂરી છે. સામાન્ય રીતે દરેક કાવ્યપ્રકારનાં અંતર્ગત અને બાહ્ય સ્વરૂપ હોય છે. બાહ્યસ્વરૂપ માત્ર જે તે કાવ્યપ્રકારનું માળખું સમજાવે છે. પણ ખરું કાવ્ય તત્ત્વ અને ખૂબી આંતરસ્વરૂપમાં છે.

 હાઈકુઃ મૂળઃ ઉદભવ,સ્વરૂપ અને વિકાસઃ

કાવ્યવિશ્વમાં  સૌથી નાનું સ્વરુપ છે હાઈકુ. હાઈકુ એ મૂળ જાપાનનો કાવ્યપ્રકાર છે.. સત્તરમી સદીમાં  (૧૬૪૪૧૬૯૪) બાશો નામના કવિએહાઈકુનું સર્જન કર્યું. તેમણે તેનેહોક્કુકહી. તેનો અર્થ થાય છે ‘પ્રારંભિક કડી’.પછી સમય જતાં તેહાઈકાઈનામે ઓળખાઈ. તેમાંથી અંતે નામ થયુંહાઈકુ’!

એક અંગ્રેજી સાહિત્યકારે એને માટે સચોટ શબ્દ વાપર્યો છે,’સ્ટોપ-શોર્ટ’. “Stop-short”  ! અર્થાત અહીં જ અટકો. કવિ શ્રી યોસેફ મેકવાન કકે છે કે, “ભાષાના સંદર્ભે જાપાનીઝ હાઈકુ અને આપણી ભાષાના હાઈકુ વચ્ચે ભિન્નત્વ રહેવાનું. બંનેની અલગ તાસીર રહેવાની. કારણકે બંને ભાષાઓનું કુળ અલગ છે ને ? જાપાનીઝ ભાષાના નામ,ક્રિયાપદ.વિશેષણો,ક્રિયાવિશેષણો વગેરેના પદક્રમોની ગોઠવણીથી અર્થ સૂચવાય છે. એટલે ત્યાં પદક્રમ મહત્વનો છે. જ્યારે આપણી ગુજરાતી ભાષામાં પ્રત્યયો વિના ડગ મૂકાય. પરિણામે ભાષા આલંકારિક બને. એટલે જાપાનીઝ ભાષાની હાઈકુવિભાવના અહીં ખપમાં લાગે.

આપણી ભાષામાં ઘણાં કાવ્યપ્રકારો  પરદેશથી આવ્યાં અને સમય જતાં આપણા દેશની સંસ્કૃતિમાં હળીભળી પાંગર્યાં. રીતે ગઈ સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં કવિ શ્રી  સ્નેહરશ્મિના હાથે જાપાનીસ કાવ્યપ્રકાર હાઈકુ અવતર્યું,ખીલ્યું ને ગુજરાતી ભાષામાં પાંગર્યું.

સ્નેહરશ્મિ પછી કેટલાંકે હાઈકુમાં યત્કિંચિત સર્જન કર્યું છે. આધુનિક સમયમાં પન્ના નાયકે ઘણાં સુંદર હાઈકુ સર્જ્યા છે. તેમનોઅત્તર અક્ષરખૂબ મનભાવન સંગ્રહ બન્યો છે.

સ્વરૂપઃઆંતર અને બાહ્યઃ

ત્રણ પંક્તિ- ૧૭ અક્ષર- ૫-૭-૫.
હાઈકુ એક ચમકારો-ઝબકારો હોય એટલું નાનું કદ ધરાવે છે. છતાં એમાં અપાર શક્તિ રહેલી જણાય છે. હાઈકુની પ્રથમ શરત છે કે પ્રકૃત્તિના તત્ત્વોથી શબ્દચિત્ર રચાય. હાઈકુ અણુમાં વિરાટનું દર્શન કરાવે.
એ માત્ર ૫-૭-૫ અક્ષરોથી રચાયેલું  “ફ્લેટ સ્ટેટ્મેન્ટ” (સીધું વિધાન) ન જ હોવું જોઈએ.

સત્તર અક્ષરોમાં, જાણે પીંછીના એક જ લસરકે ચિત્ર દોરી દેવાનું, ને છતાં એમાંથી ઉભી થતી ‘ઈમેજ’ દ્વારા વિશ્વની કોઈ એક અજાયબી મનોજગતમાં સ્થાપી દેવાની !! એમ બને ત્યારે જ એ સાચું કાવ્ય ગણાવી શકાય. ત્રણ પંક્તિમાં જ બધું આવી જાય છે, ને કાવ્ય પૂર્ણતાને પામી જાય છે ! ત્યાં સ્ટોપ થતાં જ એક ઈમેજ પ્રબળતાથી ભાવકચિત્તમાં ઝબકી ઉઠે છે જે એને ક્યાંનો ક્યાંય લઈ જાય છે. શાંત જળમાં પડતી એક કાંકરી જેમ અનેક વર્તુળો ઉભાં કરી દે કે આકાશમાં થતો એક તેજલીસોટો એની પાછળ ગડગડાટ સર્જી દે તે રીતે હાઈકુના સત્તર અક્ષર પૂરા થતાં જ એક ઈમેજ, એક કલ્પન પ્રગટીને વાચકના મનમાં ભાવશૃંખલા જગવી જાય છે.  આટલી મર્યાદિત અક્ષર-સંખ્યામાં આખી કાવ્યકૃતી રચવી  એ બહુ સંયમ અને વિવેક માગી લેનારી બાબત છે. હાઈકુમાં વસ્તુ બોલે છે, કવિ નહિ. સિદ્ધહસ્ત કવિઓ કહે છે કે હાઈકુનો અર્થ આંખથી સંભળાય..હા, આંખથી સંભળાય અને કાનથી જોવાય !!

ત્રણ પંક્તિઓ જ વામનનાં વિરાટ ત્રણ પગલાં જેવી સાબિત થાય.

હાઈકુનું સ્વરૂપ બધાંથી અલગ પ્રકારનું છે. હાઈકુમાં કશું બોધાત્મક હોય. પ્રકૃતિનું જે શબ્દચિત્ર કવિએ ખડું કર્યું હોય તે બોલેકવિ શ્રી યોસેફ મેકવાનના શબ્દોમાંકેલિડોસ્કોપમાં રંગીન કાચના ટૂકડાઓ હોય છે. તેના વડે આકાર આકૃતિ રચાતાં હોઈ તે જોઈ મનવિસ્મય સાથે આહ્‍લાદ અનુભવે છે,હરખાય છે. ને જે સંવેદન જગાડે તેવું અહીં ૫ની શ્રુતિ વડે રચાતું લઘુકાવ્ય તે હાઈકુ ! કેલિડોસ્કોપ સહેજ હાલી જતાં તેમાંની આખી રંગીન  આકૃત્તિચિત્ર બદલાઈ જાય ને નવું સંવેદન જગાડે. રીતે સત્તર શ્રુતિમાં એકાદ શબ્દ અહીં ત્યાં કરીએબદલીએ ને ભાવ પલટાઈ જાય,અર્થ બદલાઇ જાય. એમ આનંદદાયક અર્થો,ભાવો મળતાં રહે જે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય !

આમ, હાઈકુની અસલિયત કવિની અનુભૂતિની અસલિયત છે. ભાવ જ્યારે ભાવક અને વાચકની અસલિયતમાં રૂપાંતર પામે ત્યારે તેની ચમત્કૃતિનો આનંદ મળે! બધું ખૂ સહજસ્વાભાવિક રીતે જે હાઈકુમાંથી અનુભવાય તેટલું તે હાઈકુ ઉત્તમ! તેમાંથી જે સુખદુઃખ,વિસ્મય,આઘાતપ્રત્યાઘાત, અધ્યાત્મ વગેરેની લાગણી જન્મે તે હાઈકુનો પ્રાણ! તેમાંથી ભાવકે ભાવકે એક હાઈકુમાંથી જેટલી જુદી અર્થચ્છાયાઓ કે અર્થવ્યંજનાઓ ઝંકારી ઊઠે તેટલા અંશે તેમાં સાચું હાઈકુત્ત્વ! હાઈકુ દ્વારા પોતાની સંવેદનાનો આક્ષાત્કાર થાય. આમ, હાઈકુ સામાન્યભાવનું અસામાન્ય ભાવમાં અને અસામાન્ય ભાવનું સામાન્યભાવમાં  રૂપાંતર કરે છે. તેમાં ભાવક ચિત્તને સ્થળકાળથી પર થવાની સમાધિ લાધે. ચિત્ર જેવું હોય તેવું ભાવક ચિત્તમાં પ્રતિતીકર રીતે સંક્રાન્ત થાય. તેના તર્ક, બુદ્ધિને વળોટી જાય, ને આનંદ મૂર્ત કરે.”

ઉદાહરણઃ

સ્નેહરશ્મિનાં હાઈકુ

તેમના હાઈકુસંગ્રહનું સૌથી પ્રથમ હાઈકુ જાણે સંગ્રહનું ઉદ્ઘાટન કરતું હોય તે :
હિમશિખરે
ફૂટે પરોઢ : અહો !
સૂર્ય હાઈકુ !

‘સ્નેહરશ્મિ’ના કુમાશભર્યા જીવનનું દર્શન આ હાઈકુમાં થાય છે. તેઓની કવિસહજ કુમાશ વ્યક્ત કરતાં આ હાઈકુ જુઓ :
નાજુક તારી
આંગળી ચૂંટે
ફૂલ ઘવાય નેણ

ચઢે  આકાશે
ચંન્દ્ર: પર્ણે ઝીલાતી

ચાંદની  કૉળે        [પાંદડાં  પર  ચારુતાનું દર્શન]

પર્ણ વિનાની
ડાળીઓમાં  સૂરજ
ટીંગાતો જાય        (પંચેન્દ્રીયો દ્વારા અનુભવાતાં ચિત્રો )

 ઊડી ગયું કો
પંખી કૂજતું : રવ
 હજીયે  નભે

ઝૂંપડીઓના
ધૂમાડે
  નંદવાયાં
રવિકિરણો       
  (ધુમાડાની ગતિલીલા)

ચડતી  પ્હાડે
ગાડી : નીચે ખેતર
ચગતાં
  રાસે             ( ગતિ)

વીજ ગોખમાં
ચીતરી
  ગૈ  ટહુકો
કોક
  અદીઠો          (કાન-આંખ/ધ્વનિ-રંગોનું સંયોજન)

પન્નાબેન નાયકના હાઈકુઃ
પવન કરે
વાતો,બેવડ વળી
ડાળીઓ હસે..

ઊડ્યું એક
પંખી ને કંપી ઊઠ્યું,
આખુંયે વૃક્ષ..

ગાઢા વનમાં
સળવળી, સ્મૃતિની
લીલી સાપણ.

શયનખંડે
અંધારું અજવાળે
શબ્દોના દીવા..        

 કેટકેટલાં સ્પંદનો છે,ચિત્રો છે, બેહદ ભાવો છે.
(
કવિ શ્રી યોસેફ મેકવાન અને જુગલકિશોર વ્યાસના  હાઈકુ અંગેના લેખોને આધારે તૈયાર કરેલ સમજૂતી.)

 સંકલનઃ દેવિકા ધ્રુવ
૧/૨૬/૨૦૧૮

જાણ માટેઃ કવિ શ્રી યોસેફ મેકવાને, સાહિત્ય સરિતાના સભ્યોના પસંદ કરેલા હાઈકુ તેમના જ અક્ષરોમાંઃ

નોંધઃ ઉપરોક્ત નંબર ૨ઃ નીચે મુજબ વાંચવું.

વીજળી થઈ.

આભમાં હસ્તાક્ષર

કોના હશે એ !!—- દેવિકા ધ્રુવ

GSS glimpses of 25 years. 2001 to 2025 December 4, 2025

Posted by devikadhruva in : લેખ , add a comment

ગુજરાતી સાહિત્ય સરિતાના ૨૫ વર્ષના ઈતિહાસની ઝલક
( દસ્તાવેજી ઈતિહાસ )

GSS Glimpses of 25 years

 

 

કાવ્યસંગ્રહ…’અહીં જ બધું’…. August 29, 2025

Posted by devikadhruva in : Uncategorized , add a comment

‘ગૂર્જર સાહિત્ય ભવન’ના FB page પરથી સાભાર..

Picture & courtesy by Gujar Sahitya Bhavan..(on FB Wall)

‘ગૂર્જર સાહિત્ય ભવન’ના FB page પરથી સાભાર..

કક્કો…

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના  છૂટ્યો.
સ્વરો સઘળા સંગે લઈને, વ્યંજનોમાં ઘૂમ્યો.

 

રેતી,માટી,પથ્થર માફક,અક્ષર વળગે સજ્જડ,
એકમેકની સંગ મળીને રચે ઈમારત ફક્કડ..
હરે,ફરે ને ખેલે ખેલ,અંદર જાણે મેજીક મહેલ,
માત્રાઓની સહેલ માણતો, પાક્કો પાયો કરતો ચાલ્યો,
કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના  છૂટ્યો.

 

બારાખડીની બારી ખોલી, હવા-ઉજાસ તો પહોંચે છેક,
શબ્દ રૂમઝૂમ નાચે લયબદ્ધ, પાંચે તત્ત્વો  કેવાં નેક!

તેજપુંજથી પલળું રોજ,અર્થ-નીરથી નીતરું રોજ,
મનને હશે શેની આ ખોજ!! કે રુંવેરુંવે ઝુમ્યો, ના તૂટ્યો.
કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના  છૂટ્યો.

કવિ શ્રી શ્યામલ મુનશી સાથે એક સાંજ. May 9, 2025

Posted by devikadhruva in : લેખ , add a comment

અહેવાલઃ દેવિકા ધ્રુવ

અહેવાલઃ દેવિકા ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૭મી બેઠક, ૨૦મી એપ્રિલના રોજ, વડતાલધામ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી. આમંત્રિત મહેમાન તરીકે અમદાવાદના કવિ અને સંગીતકાર,ગાયક અને હાસ્યકાર  ડો. શ્રી શ્યામલ મુનશી હતા.

શરૂઆતમાં પ્રમુખ શ્રી નિખિલ મહેતાના સ્વાગત પછી, મસાલા રેડિયોના RJ ઈના પટેલ દ્વારા પુષ્પ-ગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તે પછી ભાવના દેસાઈના મધુર કંઠે સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી. દેવિકા ધ્રુવે શ્રી શ્યામલ મુનશીનો સુપેરે પરિચય આપી, તેમની જ એક પંક્તિ ટાંકીને સભાનું સૂકાન કવિને સોંપ્યું.

શ્યામલભાઈએ, શરૂઆતમાં જ, પરિચય અંગે અગાઉ થયેલ અનુભવને યાદ કરી, એકદમ હળવી રમૂજથી સભાગૃહમાં સ્મિતની પીંછી ફેરવી. તે પછી એક કૃષ્ણ-ભજન ભાવભેર ગાઈને ગીત-સંગીતનું વાતાવરણ ઊભું કર્યુ..

હાસ્યકાર અને ગાયક તરીકેની આ બે ઝલક પછી કવિ તરીકે તેમનું સુવિખ્યાત થયેલ ગીતઃ

‘અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.’  રજૂ કર્યું તે સાથે જ સૌએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા.

આ ગીત પછી ‘વૃક્ષ બીજું શું કરે?’ ગઝલ સંભળાવી.તે ઉપરાંત બીજી પણ ગઝલોના કેટલાક શેર કાબિલેદાદ હતાઃ
“એ માર્ગ બતાવે છે કે, મારે છે ઠોકર, એ નક્કી કર.
તારી સામે છે તે, ઇશ્વર છે  કે પત્થર, એ નક્કી કર..”

દરિયાએ દૂરદૂરથી નદીઓ નોતરી..કંકોતરી..લીલોતરી વગેરે મઝાના  કાફિયાયુક્ત લાંબી બહેરની ગઝલો મજેદાર રીતે સંભળાવી. શ્રોતાજનોનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળતો જતો હતો.

સુરતના જાણીતા ગઝલકાર ગૌરાંગ ઠાકરની પણ એક ગઝલ..’પ્રભુ તો લાં….બી  રજા ઉપર છે.’ રજૂ કરી.

ત્યારપછી કેટલીક કરુણરસની વેદનાસભર રચનાઓ પ્રસ્તૂત કરી.

‘દાદા નામે વડ અને ‘આગ’ એમ બે કાવ્યો સંભળાવ્યાં.

નાનપણમાં જોયેલા ખાલી બાંકડા ઉપરથી એક વૃદ્ધના મનોભાવોને સુંદર રીતે વ્યક્ત કર્યા કે,

વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,.
એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ.

વ્યવસાયે ડોક્ટર હોઈ દર્દીઓની પીડાનાં કારણોમાં ઊંડા ઉતરી, કેટલીક કલ્પનાઓ ભરી રચેલી કવિતાઓમાંની એક ખૂબ જ દર્દભરી હતી જે તેમના કવિકર્મના કૌશલ્યની દ્યોતક જણાઈ.

આ રહી એ પંક્તિઓઃ
‘ કંકુ, મેંદી, પીઠી કેરો રંગ નીકળ્યો કાચો,
આજે જે લાગ્યો છે કાળો તે જ સાચો.’

ત્યારબાદ એક કુશળ કલાકાર તરીકે, ભારે થયેલા વાતવરણને હળવેથી, વ્યંગભરી હાસ્યરચના તરફ વાળી લીધું. કવિ શ્રી દલપતરામની જૂની કવિતાઓને યાદ કરી, મનહર છંદમાં લખાયેલી સુંદર રચનાઓ સંભળાવી. હાથીની સર્જરી, લીલા પોપટલાલની ઉધરસ વગેરે વાતો થકી વાતાવરણમાં હળવાશ ભરી દીધી. વાર્તા અને વિચારની થીમ પર થોડા રમૂજી ટુચકા સંભળાવ્યા. ’ળ’ને બદલે ‘ર’ બોલે તો કેવું લાગેઃ
‘મૂરજીભાઈ ગોરવારા’ ની કવિતા સંભળાવી.

‘સુખ’‘ના થીમ પર “મને તો સુખ એમાં દેખાય’ અને

‘સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.’ એ ગીત ભાવસભર ગાઈને સંભળાવ્યું.

આ જ વિષય પર કવિની પારિમાણિક અભિવ્યક્તિની વાત ખૂબ મનનીય લાગી. તનસુખ, મનસુખ અને આત્મસુખ એટલે અનુક્રમે પુનરાવર્તન,પરિવર્તન અને કાયમી આનંદની ઊંચી અને સાચી વાત સૌને સ્પર્શી ગઈ.

વાતાવરણમાં રંગ જામતો જતો હતો અને સમય પણ સરતો જતો હતો. તેવામાં  સભામાંથી કેટલીક ફરમાઈશ આવી જેને ન્યાય આપતાં શ્યામલભાઇએ ‘ગરબાની રીતે ગરબો તું ગા..’ અને’કવિ શ્રી તુષાર શુક્લની ‘દરિયાની રેતી કંઈ મોજાને પૂછે’ પણ મધુરતાથી ગાઈ સંભળાવ્યું. તે પછી એક-બે ગીતમાં શ્રોતાઓને પણ સામેલ કરી વાનગીના ગીતમાં ‘ભાત… જાતજાતના ભાત’ બોલતા કરી દીધા. એટલું જ નહિ, રેપસોંગની રજૂઆત દરમ્યાન ‘શું કો’ છો? શું કો’ છો? હેં… શું કો’ છો? કહેતાં કહેતાં તો હોલમાં જાણે હાસ્યનાં મોજાં ફરી વળ્યાં.

છેલ્લે, રમૂજી રીતે  ભાષાની કેટલીક ગંભીર વાતો પર સૌનું ધ્યાન કેંદ્રિત કર્યું. દેશમાં અને વિદેશમાં ગુજરાતી ભાષાની કટોકટી વર્તાય છે એ સંજોગોમાં શક્ય તેટલા પ્રયાસો ચાલુ રાખવાની સૌની ફરજ છે એ સ્થાપિત કરી પોતાનું વિવિધરંગી વક્તવ્ય અને રજૂઆતનું સમાપન કર્યું.  સૌએ ઊભા થઈ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યું જેના એ સાચે જ હકદાર બની રહ્યા.

ત્યારબાદ ઉપપ્રમુખ શ્રીમતી રિદ્ધિબહેન દેસાઈએ સાહિત્ય સરિતાની સંસ્થા વતી  શ્યામલભાઈને સન્માન પત્ર આપ્યું, મહેમાન સહિત સૌ સ્વયંસેવકોની આભારવિધિ કરી અને સૌને ભોજન તરફ જવા સૂચના આપી. વડતાલધામના સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી સૌ ભાઈબહેનો છૂટાં પડ્યાં.

આખોયે કાર્યક્રમ યાદગાર રહ્યો. ખરેખર, આ બેઠકમાં સાહિત્ય અને સંગીતની સંગત હતી અને રમૂજની રંગત હતી.

સૌને અભિનંદન.

અસ્તુ.

દેવિકા ધ્રુવ.

તા. એપ્રિલ ૨૩, ૨૦૨૫

કવિ શ્રી શ્યામલ મુનશી સાથે એક સાંજઃ અહેવાલ May 2, 2025

Posted by devikadhruva in : લેખ , add a comment

કવિ શ્રી શ્યામલ મુનશી સાથે એક સાંજ.

અહેવાલઃ દેવિકા ધ્રુવ

ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની ૨૬૭મી બેઠક, ૧૩મી એપ્રિલના રોજ, વડતાલધામ મંદિરના હોલમાં યોજવામાં આવી હતી. આમંત્રિત મહેમાન તરીકે અમદાવાદના કવિ અને સંગીતકાર,ગાયક અને હાસ્યકાર  ડો. શ્રી શ્યામલ મુનશી હતા.

શરૂઆતમાં પ્રમુખ શ્રી નિખિલ મહેતાના સ્વાગત પછી, મસાલા રેડિયોના RJ ઈના પટેલ દ્વારા પુષ્પ-ગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું. તે પછી ભાવના દેસાઈના મધુર કંઠે સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી. દેવિકા ધ્રુવે શ્રી શ્યામલ મુનશીનો સુપેરે પરિચય આપી, તેમની જ એક પંક્તિ ટાંકીને સભાનું સૂકાન કવિને સોંપ્યું.

 

શ્યામલભાઈએ, શરૂઆતમાં જ, પરિચય અંગે અગાઉ થયેલ અનુભવને યાદ કરી, એકદમ હળવી રમૂજથી સભાગૃહમાં સ્મિતની પીંછી ફેરવી. તે પછી એક કૃષ્ણ-ભજન ભાવભેર ગાઈને ગીત-સંગીતનું વાતાવરણ ઊભું કર્યુ..

હાસ્યકાર અને ગાયક તરીકેની આ બે ઝલક પછી કવિ તરીકે તેમનું સુવિખ્યાત થયેલ ગીતઃ

‘અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.’  રજૂ કર્યું તે સાથે જ સૌએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા. આ ગીત પછી ‘વૃક્ષ બીજું શું કરે?’ ગઝલ સંભળાવી.

તે ઉપરાંત બીજી પણ ગઝલોના કેટલાક શેર કાબિલેદાદ હતાઃ
“એ માર્ગ બતાવે છે કે, મારે છે ઠોકર, એ નક્કી કર.
તારી સામે છે તે, ઇશ્વર છે  કે પત્થર, એ નક્કી કર..”

દરિયાએ દૂરદૂરથી નદીઓ નોતરી..કંકોતરી..લીલોતરી વગેરે મઝાના  કાફિયાયુક્ત લાંબી બહેરની ગઝલો મજેદાર રીતે સંભળાવી. શ્રોતાજનોનો ઉમળકાભર્યો પ્રતિસાદ મળતો જતો હતો.

સુરતના જાણીતા ગઝલકાર ગૌરાંગ ઠાકરની પણ એક ગઝલ..’પ્રભુ તો લાં….બી  રજા ઉપર છે.’ રજૂ કરી.

ત્યારપછી કેટલીક કરુણરસની વેદનાસભર રચનાઓ પ્રસ્તૂત કરી.

‘દાદા નામે વડ અને ‘આગ’ એમ બે કાવ્યો સંભળાવ્યાં.

નાનપણમાં જોયેલા ખાલી બાંકડા ઉપરથી એક વૃદ્ધના મનોભાવોને સુંદર રીતે વ્યક્ત કર્યા કે,

વડવાઈ વચ્ચે જેનું ખોવાયું છે થડ,.
એક લાકડી ઉપર ઉભો દાદા નામે વડ.

વ્યવસાયે ડોક્ટર હોઈ દર્દીઓની પીડાનાં કારણોમાં ઊંડા ઉતરી, કેટલીક કલ્પનાઓ ભરી રચેલી કવિતાઓમાંની એક ખૂબ જ દર્દભરી હતી જે તેમના કવિકર્મના કૌશલ્યની દ્યોતક જણાઈ.

આ રહી એ પંક્તિઓઃ
‘ કંકુ, મેંદી, પીઠી કેરો રંગ નીકળ્યો કાચો,
આજે જે લાગ્યો છે કાળો તે જ સાચો.’

ત્યારબાદ એક કુશળ કલાકાર તરીકે, ભારે થયેલા વાતવરણને હળવેથી, વ્યંગભરી હાસ્યરચના તરફ વાળી લીધું. કવિ શ્રી દલપતરામની જૂની કવિતાઓને યાદ કરી, મનહર છંદમાં લખાયેલી સુંદર રચનાઓ સંભળાવી. હાથીની સર્જરી, લીલા પોપટલાલની ઉધરસ વગેરે વાતો થકી વાતાવરણમાં હળવાશ ભરી દીધી. વાર્તા અને વિચારની થીમ પર થોડા રમૂજી ટુચકા સંભળાવ્યા. ’ળ’ને બદલે ‘ર’ બોલે તો કેવું લાગેઃ
‘મૂરજીભાઈ ગોરવારા’ ની કવિતા સંભળાવી.

‘સુખ’‘ના થીમ પર “મને તો સુખ એમાં દેખાય’ અને

‘સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.’ એ ગીત ભાવસભર ગાઈને સંભળાવ્યું.

આ જ વિષય પર કવિની પારિમાણિક અભિવ્યક્તિની વાત ખૂબ મનનીય લાગી. તનસુખ, મનસુખ અને આત્મસુખ એટલે અનુક્રમે પુનરાવર્તન,પરિવર્તન અને કાયમી આનંદની ઊંચી અને સાચી વાત સૌને સ્પર્શી ગઈ.

વાતાવરણમાં રંગ જામતો જતો હતો અને સમય પણ સરતો જતો હતો. તેવામાં  સભામાંથી કેટલીક ફરમાઈશ આવી જેને ન્યાય આપતાં શ્યામલભાઈએ ‘ગરબાની રીતે ગરબો તું ગા..’ અને’કવિ શ્રી તુષાર શુક્લની ‘દરિયાની રેતી કંઈ મોજાને પૂછે’ પણ મધુરતાથી ગાઈ સંભળાવ્યું. તે પછી એક-બે ગીતમાં શ્રોતાઓને પણ સામેલ કરી વાનગીના ગીતમાં ‘ભાત… જાતજાતના ભાત’ બોલતા કરી દીધા. એટલું જ નહિ, રેપસોંગની રજૂઆત દરમ્યાન ‘શું કો’ છો? શું કો’ છો? હેં… શું કો’ છો? કહેતાં કહેતાં તો હોલમાં જાણે હાસ્યનાં મોજાં ફરી વળ્યાં.

છેલ્લે, રમૂજી રીતે  ભાષાની કેટલીક ગંભીર વાતો પર સૌનું ધ્યાન કેંદ્રિત કર્યું. દેશમાં અને વિદેશમાં ગુજરાતી ભાષાની કટોકટી વર્તાય છે એ સંજોગોમાં શક્ય તેટલા પ્રયાસો ચાલુ રાખવાની સૌની ફરજ છે એ સ્થાપિત કરી પોતાનું વિવિધરંગી વક્તવ્ય અને રજૂઆતનું સમાપન કર્યું.  સૌએ ઊભા થઈ તેમને સ્ટેંડીંગ ઓવેશન આપ્યું જેના એ સાચે જ હકદાર બની રહ્યા.

ત્યારબાદ ઉપપ્રમુખ શ્રીમતી રિદ્ધિબહેન દેસાઈએ સાહિત્ય સરિતાની સંસ્થા વતી  શ્યામલભાઈને સન્માન પત્ર આપ્યું, મહેમાન સહિત સૌ સ્વયંસેવકોની આભારવિધિ કરી અને સૌને ભોજન તરફ જવા સૂચના આપી.વડતાલધામના સ્વાદિષ્ટ ભોજનની લિજ્જત માણી સૌ ભાઈબહેનો છૂટાં પડ્યાં.

આખોયે કાર્યક્રમ યાદગાર રહ્યો. ખરેખર, આ બેઠકમાં સાહિત્ય અને સંગીતની સંગત હતી અને રમૂજની રંગત હતી.

સૌને અભિનંદન.

અસ્તુ.

દેવિકા ધ્રુવ.

તા. એપ્રિલ ૨૩, ૨૦૨૫

વિવેચનની પૂર્વભૂમિકા- આસ્વાદ March 15, 2025

Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , add a comment

ધૂળેટીના પાવન દિવસે સાંપડેલ એક સુંદર અવસર.

સમર્થ સાહિત્યકાર શ્રી સુમન શાહ સાથે પ્રશ્નોત્તરઃ દૃશ્ય અને શ્રાવ્યઃ

રશ્મીતા-સુમન વાર્તાવર્તુળ : પ્રશ્નોત્તર : ઍપિસોડ – ૧૭ :
વિવેચનની પૂર્વભૂમિકા – આસ્વાદ.

૨૦૦૪ થી ૨૦૨૪ સુધીની સાહિત્યિક સફર February 12, 2025

Posted by devikadhruva in : લેખ , add a comment

૨૦૦૪ થી ૨૦૨૪ સુધીની સાહિત્યિક સફર

. ’આથમણી કોરનો ઉજાસ’– પત્રશ્રેણી૨૦૧૭.પાર્શ્વ-પ્રકાશન- ડાયસ્પોરા સાહિત્ય એવોર્ડઃ
ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ  તરફથી.

૨.  ગુજરાતી સાહિત્ય સરિતાહ્યુસ્ટનના ઈતિહાસની એક ઝલક૨૦૧૫ અને ૨૦૧૫થી ૨૦૨૦ -ઈબૂક

૩.  પત્રોત્સવઃ ૨૦૨૦. -પત્રશ્રેણી- ગૂર્જર પ્રકાશન. અન્ય લેખકો સાથે

૪.  નિત્યનીશી ભાગ-૧ અને ૨-૨૦૨૧ -૨૨- અન્ય લેખકો સાથે -ઈબૂક

૫.  સ્મૃતિસંપદા- ૨૦૨૩-અન્ય લેખકો સાથે

૬.  તાજા કલામને સલામ- ૨૦૨૪ – આસ્વાદ પુસ્તક- અન્ય લેખકો સાથે.

૭.  અંગ્રેજી અનુવાદઃ Glow  from western Shore.ઈબૂક (મૂળ ‘આથમણી કોરનો ઉજાસ’)

૮.  અંગ્રેજી અનુવાદઃ From There to Here- ૨૦૨૧ જાન્યુ. (મૂળ ગુજરાતીમાં ‘સ્મરણની શેરી’ સહિત)

૧.  English-Glimpses Into a Legacy-Dhruva family.૨૦૧૬-ઈબૂક

૨. English-Ma- Banker Family.૨૦૧૬-ઈબૂક

  

નવો કાવ્યસંગ્રહઃ ‘અહીં જ બધું.’ ગૂર્જર પ્રકાશન, અમદાવાદ. February 9, 2025

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

પવન વેગે ઊડતો સમય કેવી કેવી સફર કરાવે છે !  જોતજોતાંમાં ત્રીજો કાવ્યસંગ્રહ પ્રગટ કર્યાને સાત વર્ષ વીતી ગયાં. દરમ્યાનમાં નદીઓનાં વહેણ કેટલાં અને કેવાં બદલાઈ ગયાં, કેટલાં વહી ગયાં !

શબ્દોને પાલવડે’, ‘અક્ષરને અજવાળેઅને કલમને કરતાલેપછીના આ કાવ્યસંગ્રહમાં ૨૦૧૭ પછી  લખાયેલાં નવાં ગીત, ગઝલ, મુક્તકો  અને અછાંદસ ઉપરાંત આજ સુધી (ઑગષ્ટ ૨૦૨૩ સુધી) લખાયેલ તમામ રચનાઓ આઅહીં જ બધુંમાં સમાવેશ કર્યો છે.

 

આ અવસરે અનુભૂતિની છાલક/ બસ, આટલું જ/પ્રસ્તાવના વગેરે લખી મોકલવા બદલ ગઝલકાર શ્રી અદમ ટંકારવી, કવયિત્રી લતા હિરાણી, રક્ષા શુકલ અને મુ.પન્ના નાયક તરફ હૃદય  કૃતજ્ઞતાથી નમે છે અને ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત આ સંગ્રહની આસપાસ ગૂંથાયેલાં તમામ પરિબળો અને પરિવારજનો પ્રત્યે મસ્તક અહોભાવથી  ઝુકે છે.

‘ગૂર્જર સાહિત્ય પ્રકાશન’ના માનનીય અને અનુભવી વડીલ શ્રી મનુભાઈ શાહનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. તેમને દિલથી વંદન. 

નવા વર્ષને આવકારઃ January 16, 2025

Posted by devikadhruva in : કાવ્યો,કાવ્યપઠન , add a comment

 

https://youtu.be/7EIa8sTSfjo

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.

 

ચાલને ભેરુ સંગે સંગે નવું વરસ સત્કારી લઈએ.

નભે નીતરતા રંગોથી આજે બેઉ નયન છલકાવી દઈએ.

નહિ તો નોખા માપથી એ તો માપતી જશે, નાથતી જશે.

કાલ હતી તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

 

નવા સમયનો રંગ છે જુદો, માણે તે ખરો જાણી શકે.

પાનખરે ખરી છટા દેખાશે, વાસંતી છાંટ છંટાઈ જશે.

પળની પીંછી હળવે હળવે ખરતી જઈને ઊડતી જશે.

કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.