jump to navigation

સાંજવેળા September 8, 2010

Posted by devikadhruva in : સ્વરચના , add a comment

માર્ચ ૨૦૧૧માં યોજાયેલ “સબરસગુજરાતી” કાવ્યસ્પર્ધામાં ૧૬૬માંથી પ્રથમ દસમાં સ્થાન પામેલ  ગઝલ

( છંદ હજઝ-૨૮ )

વાનપ્રસ્થાશ્રમને આરે ઉભેલા આશાવાદી એક માનવીને જીવનમાં હજી ઘણું ઘણું કરવું છે.ન એને મૃત્યુનો ડર છે કે ન એની રાહ છે. પણ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કૈંક એવું ઉમદા અને સરસ કામ કરી જવું છે કે જેના થકી એનો અંત પણ સુંદર,શણગારયુક્ત બની જાય ! એટલે જ તો એ સાંજના જતા સુરજને  જરા થોભી જવાની વાત કરે છે.અહીં દિવસ અને રાત, જીવન અને  મૄત્યુના રૂપક તરીકે લીધા છે.

————————————————————————————————

સલૂણી આજ આવીને,ઉભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સુરજ, ન લાવો રાત ધસમસતી.

હજી હમણાં જ ઉતરી છે, બપોરે બાળતી એ લૂ,
જરા થોભો અરે ભાનુ, ભૂલાવો વાત બળબળતી.

હજી મમળાવવી મારે અહીં કુમાશ કીરણોની,
જરા થોભો અરે સુરજ, હતી સવ્વાર ઝગમગતી.

અહો કેવી મધુરી સહેલ આ સંસારસાગરની,
જરા થોભો અરે નાવિક, ભલે આ નાવ ડગમગતી.

કટુ કાળી અને અંતે જતી  અણજાણ નિર્વાણે,
જરા થોભો અરે ધાત્રી, સજુ એ રાત તનમનથી !!

સલોની આજ આવીને,ઉભી આ સાંજ ઝળહળતી;
જરા થોભો અરે સુરજ, ન લાવો રાત ધસમસતી

છંદવિધાન -હજઝ ૨૮
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.